કોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત

  • September 19, 2024 10:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા ડોકટરો સામેની દરિંદગીના વિરોધમાં જુનિયર રેસિડેન્ટ ડોકટરો 9 ઓગસ્ટથી વિરોધ કરી રહ્યા હતા. મમતા સરકાર તેમની પાસેથી કામ પર પાછા ફરવાની સતત માંગ કરી રહી હતી. સુપ્રીમ કોર્ટે પણ ડોક્ટરોને કામ પર પાછા ફરવાનું કહ્યું હતું.


કોલકાતાની ઘટના બાદથી વિરોધ પ્રદર્શન કરી રહેલા ડોક્ટરોએ કામ પર પરત ફરવાની જાહેરાત કરી છે. મહત્વનું છે કે આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા ડોકટરો સાથેની અત્યાચાર સામે જુનિયર રેસિડેન્ટ ડોકટરો 9 ઓગસ્ટથી વિરોધ કરી રહ્યા હતા. મમતા સરકાર તેમની પાસેથી કામ પર પાછા ફરવાની સતત માંગ કરી રહી હતી. સુપ્રીમ કોર્ટે પણ ડોક્ટરોને કામ પર પાછા ફરવાનું કહ્યું હતું.


જુનિયર ડોકટરોએ શુક્રવાર 20 સપ્ટેમ્બરથી સ્વાસ્થ્ય ભવન અને કોલકાતામાં ચાલી રહેલા વિરોધને સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. શનિવારથી તમામ ડોક્ટરો કામ પર પાછા ફરશે અને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે અને લોકોને મદદ કરશે. સંપૂર્ણ 41 દિવસ પછી, ડોકટરો આવશ્યક સેવાઓ પર પાછા ફરશે.


તમને જણાવી દઈએ કે કોલકાતાની ઘટનાના વિરોધમાં જુનિયર ડોક્ટરોના સંગઠનોએ હડતાળનું એલાન કર્યું હતું. જેના કારણે બંગાળની આરોગ્ય સેવાઓ ખોરવાઈ ગઈ હતી. હડતાળ પર બેઠેલા જુનિયર ડોકટરોની 5 માંગણીઓ હતી જેમાંથી મમતા સરકારે 3 માંગણી સ્વીકારી હતી. ખુદ સીએમ મમતા બેનર્જીએ ડોક્ટરોના પ્રતિનિધિમંડળ સાથે વાત કર્યા બાદ આરોપીઓ સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું.


મમતા બેનર્જીએ ડોકટરોની પાંચમાંથી ત્રણ માંગણીઓ સ્વીકારી અને તબીબી શિક્ષણ નિયામક અને આરોગ્ય સેવાઓના નિયામકને હટાવી દીધા. પોલીસ કમિશનર વિનીત ગોયલને પણ મંગળવારે હટાવીને નવા આઈપીએસ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી હતી. આ સાથે કોલકાતા પોલીસના ડેપ્યુટી કમિશનર (ઉત્તર)ને પણ હટાવી દેવામાં આવ્યા હતા, જેમની સામે પીડિતાના પરિવારે લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application