રેસલર બજરંગ પુનિયાએ સરકાર સાથે કરી બેઠક બાદ કહ્યું, 'માત્ર બ્રિજભૂષણનું રાજીનામું જ નહી, ફેડરેશનનું પણ વિસર્જન કરવામાં આવે'

  • January 19, 2023 10:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતના સ્ટાર રેસલર બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને કેન્દ્રીય રમત મંત્રાલય વચ્ચેની બેઠક પૂરી થઈ ગઈ છે. આ બેઠક બાદ બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટે પ્રેસ કોન્ફરન્સ કરી સરકાર સાથેની વાતચીતની જાણકારી આપી. પત્રકારો સાથેની વાતચીતમાં બજરંગે સ્પષ્ટ કહ્યું કે અમે માત્ર WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણનું રાજીનામું નથી ઈચ્છતા. અમે ઈચ્છીએ છીએ કે ફેડરેશનનું વિસર્જન કરવામાં આવે, જો રાજીનામું જ આપવામાં આવે તો તે તેના માણસોને ફરીથી બેસાડશે.
​​​​​​​

ભારતના કુસ્તીબાજો અને રમત મંત્રાલયના અધિકારીઓ વચ્ચેની બેઠક પૂરી થઈ ગઈ છે. કુસ્તીબાજો વતી ચાર લોકોના પ્રતિનિધિ મંડળે ભાગ લીધો હતો. જેમાં બજરંગ પુનિયા પણ સામેલ હતો. આ મીટિંગ પછી પ્રેસ કોન્ફરન્સમાં બજરંગ પુનિયાએ કહ્યું કે 'કુસ્તીનું આખું હબ અમારી સાથે બેઠું છે અને દરેક પોતાના ભવિષ્ય માટે લડી રહ્યા છે. અમારી પાસે પુરાવા સાથે પાંચથી છ છોકરીઓ છે, જેઓ આરોપી છે. જો અમારી વાત સાંભળવામાં નહીં આવે તો અમે પોલીસની મદદ લઈશું અને કેસ પણ કરીશું. અમારે માત્ર રાજીનામું નથી જોઈતું. અમે ઇચ્છીએ છીએ કે ફેડરેશનનું વિસર્જન થાય, જો રાજીનામું જ હશે, તો તે તેના માણસોને ફરીથી મૂકશે.

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની કાર્યકારી સમિતિની વાર્ષિક સામાન્ય સભા હવે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાશે. આ બેઠકમાં બ્રિજભૂષણ શરણ સિંહ પણ ભાગ લેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બેઠકમાં બ્રિજ ભૂષણ શરણ સિંહ પોતાના રાજીનામાની જાહેરાત કરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application