“નારી વંદન ઉત્સવ” સપ્તાહ અંતર્ગત ભાવનગર ખાતે આજરોજ મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઇ

  • August 05, 2023 12:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્રારા “નારી વંદન ઉત્સવ” સપ્તાહ નિમિતે બહુમાળી ભવનનાં મિટિંગ હોલ ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.


જેમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ૨૫ જેટલી આંગણવાડી કાર્યક્રર અને ૨૫ જેટલી આશાવર્કર બહેનોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમની ખંત પૂર્વકની  કામગીરીઓને બિરદાવવામાં આવી હતી.


જેમાં મહિલા બાળ અધિકારીશ્રી કિરણબેન મોરીયાણી, જિલ્લા ખેતીવાડી અધિકારી અશોકભાઈ પટેલ, આઈ.સી.ડી.એસ.શાખા કચેરી અધિક્ષક દિપ્તીબેન વ્યાસ, આઈ.સી.ડી.એસ.ના મુખ્યસેવિકા, ૧૮૧ માંથી કાઉન્સેલર, સખી વન સ્ટોપ સેન્ટરના કાઉન્સેલર, મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલર કનીજબેન કુરેશી, રીનાબેન વાધેલા તેમજ ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ વિમેનના ડિસ્ટ્રીકટની ટીમ કાર્યક્રમમાં હાજરી આપી વિવિધ યોજના અંગે માહિતી આપવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application