રાજકોટમાં નાળીયેર છીલતી વેળાએ પેટમાં છરી લાગી જતા મહિલાનું મોત

  • May 13, 2023 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહિલાના મોતથી ચાર સંતાનો માતાવિહોણા બન્યા



રાજકોટમાં જામનગર રોડ પર બાપાસીતારામ ગૌશાળા પાસે નાળીયેર છીલતી વેળાએ ધારદાર છરી પેટમાં લાગી જતા ૪૦ વર્ષીય મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડામાં આવી હતી.અહીં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું.



બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જામનગર રોડ પર બાપાસીતારામ ગૌશાળા પાસે રંભામાની વાડી પાસે રહેતા શારદાબેન ગોપાલભાઇ સોલંકી(ઉ.વ ૪૦) નામના મહિલા ગત તા. ૧૧/૫ ના રોજ પોતાના ઘરે લીલી નાળયેર છીલતા હતા ત્યારે અકસ્માતે ધારદાર છરી તેમને પેટને ભાગે લાગી જતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં અહીં સારવાર દરમિયાન ગઇકાલે બપોરના તેમણે દમ તોડી દીધો હતો.પરિણીતાને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનું અને તે તથા તેમના પતિ નાળીયેરનો ધંધો કરતા હોવાનું માલુમ પડયું હતું.બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ બી.આર.ભરવાડે જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application