જયપુર : રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા, બે શખ્શો ઘરમાં ઘુસી, ગોળી મારી થયા ફરાર

  • December 05, 2023 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજસ્થાનમાં ચુંટણીના સમાચારો વચ્ચે એક હાઈપ્રોફાઈલ મર્ડરની ઘટના બની છે. જયપુરમાં અજાણ્યા શખ્શોએ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા નીપજાવી છે. અહેવાલો મુજબ આરોપીઓએ સુખદેવ સિંહના ગનરને પણ ગોળી મારી છે.


ઘટના બાદ બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ સુખદેવસિંહ ગોગામેડીને મૃત જાહેર કર્યા હતા. ઘટનાને અંજામ આપીને અજાણ્યા શખ્શો ફરાર થઈ ગયા હતા. હાલ શ્યામ નગર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.


આ ઘટના શ્યામ નગરમાં બની હતી. મળતી માહિતી મુજબ, સુખદેવ સિંહ ગોગામેડી પોતાના ઘરે હતા ત્યારે અજાણ્યા બદમાશોએ ઘરમાં ઘૂસીને ગોળી મારી દીધી હતી. આ દરમિયાન બદમાશોએ હવામાં અનેક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. પોલીસે ગુનેગારોની શોધખોળ શરૂ કરી છે.


સૂત્રો મુજબ લૉરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા સંપત નેહરાએ અગાઉ સુખદેવ સિંહને ધમકી આપી હતી. ધમકી મળ્યા બાદ સુખદેવ સિંહે જયપુર પોલીસને લેખિત ફરિયાદ પણ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News