ચોમાસાની ઋુતુ આવે અને રોગચાળો વકરે.. સામાન્ય રોગચાળાની સાથે આ વખતે આંખ આવવાના કેસ પણ વધી રહ્યા છે. હાલના દિવસોમાં વાઈરલ કનઝંક્ટીવાઈટીસના કેસમાં વધારો થયો છે. રાજકોટમાં રોજના 500 જેટલા કેસ આવી રહ્યા છે.
એવામાં રાજકોટ શહેરના મેડિકલોમાં આઇ ડ્રોપ અને દવાના વેંચાણનું પ્રમાણ પણ વધ્યું છે. હાલ રોજ 1000થી 1500 સુધી આઇ ડ્રોપનું શહેરમાં વેંચાણ થઈ રહ્યું છે. સાથે જ આંખ આવવાની અલગઅલગ દવાના વેચાણમાં પણ વધારો નોંધાયો છે. આંખ આવવી એ વાઇરલ ઇન્ફેક્શન એટલે કે ચેપી રોગ છે. હાલ ચોમાસાને કારણે ભેજવાળું વાતાવરણ હોવાથી આ ઇન્ફેક્શન ઝડપથી ફેલાય રહ્યો છે. ચોમાસુ અને ભેજવાળું વાતાવરણ એ વાઇરલ ઇન્ફેક્શનની મનપસંદ ઋતુ હોય છે જેથી તેના કેસ ચોમાસામાં વધુ આવતા હોય છે. પરંતુ દર ચોમાસા કરતા આ વખતે આ કેસમાં વધારો નોંધાયો છે. આ વાઈરલ કેસથી બચવા માટે સતત હાથ ધોવા, આંખોને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. આંખોને હાથથી સ્પર્શવાની ટેવને ચશ્માનો ઉપયોગ કરીને ઘટાડી શકાય છે અને એ રીતે આ પ્રકારનો ચેપ પણ અટકાવી શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્ષ ૧૯૯૩ મા થયેલા સમાધાન મુજબ મહોરમનો વહીવટ કરવો: ગુજરાત વકફ બોર્ડ
July 03, 2024 12:18 PMધ્રોલમાં વેપારીઓ દ્વારા રસ્તા રોકો આંદોલનની ચીમકી બાદ તંત્ર થયું દોડતું
July 03, 2024 12:00 PMધ્રોલમાં પટેલ સમાજ ખાતે ત્રણ નવા કાયદાઓ અંગે સેમિનાર યોજાયો
July 03, 2024 11:56 AMદ્વારકામાં શિરપકાંડના વ્હાઇટકોલર બુટલેગરો પર વધુ એકવાર કાયદાનો સકંજો
July 03, 2024 11:53 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech