પાલીતાણા શત્રુંજય તીર્થ ઉપર તોડફોડ મામલે અમરેલીમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા

  • January 03, 2023 05:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાલીતાણા શત્રુંજય ગિરિરાજ તીર્થ ઉપર થોડા દિવસ પહેલા અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કર્યા બાદ સમગ્ર રાજ્ય અને દેશ ભરમાં તેમના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશો પણ આપ્યા હતા જ્યારે સમગ્ર ઘટનાને લઈ રોષનો માહોલ વધી રહ્યો છે સમગ્ર રાજય અને સૌરાષ્ટ્ર ભરમા સૌથી વધુ જૈન સમાજની નારાજગી વધી રહી છે અમરેલી જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. રાજુલા શહેરમા જૈન સમાજના આગેવાનો લોકો મહિલાઓ પરિવાર સાથે લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને પ્રાંત અધિકારીની કચેરીમાં ઘેરાવો કર્યો હતો અને પટાંગણમાં સુત્રોચાર કરી વિરોધ પ્રદશન પણ નોંધાવ્યું હતુ જ્યારે સમગ્ર મામલે પ્રાંત  અધિકારીને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી
​​​​​​​
અહીં ઉપસ્થિત રહેલા જૈન સમાજના આગેવાનો દ્વારા માંગણી કરવામાં આવી હતી કે આ સમસ્યાનો કાયમી રૂપથી નિરાકરણ આવે તેવી  પ્રશાસન દ્વારા  કામગીરી  કરવામાં આવે  તેવી રજુઆત કરવામાં આવી હતી.ધાર્મિક મામલાને લઈને સરકાર દ્વારા પણ નોંધ લેવામાં આવે તેવી વાત કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application