મણિપુરમાં ફરી હિંસા ભડકી, ફાયરિંગમાં 9ના મોત, અનેક ઘાયલ

  • June 14, 2023 01:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિંસાગ્રસ્ત મણિપુરમાં શાંતિના પ્રયાસોને ફરી એકવાર મોટો હુમલો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મણિપુરના ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના ખામેનલોક વિસ્તારમાં તાજેતરની હિંસામાં નવ લોકોના મોત થયા છે. આ હિંસામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની માહિતી પણ સામે આવી છે.


આજરોજ (13 જૂન)ના રોજ આતંકવાદીઓ દ્વારા અચાનક કરવામાં આવેલા ગોળીબારમાં 9 લોકોના મોત થયા હતા અને 10 લોકો ઘાયલ થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન તોફાની તત્વોએ ખામેનલોક ગામના ઘણા ઘરોને પણ આગ લગાવી દીધી હતી. તામેંગલોંગ જિલ્લાના ગોબાજંગમાં પણ ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ છે.


ઈમ્ફાલ પૂર્વના પોલીસ કમિશનર શિવકાંત સિંહે જણાવ્યું કે ખામેનલોક વિસ્તારમાં ફાટી નીકળેલી તાજી હિંસામાં 9 લોકો માર્યા ગયા અને 10 ઘાયલ થયા. પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાલ શરુ કરવામાં આવી છે. અહેવાલ મુજબ, મૃત્યુ પામેલા નવ લોકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. ઘણા ઘાયલોને સારવાર માટે ઈમ્ફાલ લઈ જવામાં આવ્યા છે.


હિંસામાં માર્યા ગયેલા ઘણા લોકોના શરીર પર ઈજાના નિશાન અને ગોળીઓના ઘા મળી આવ્યા છે. મણિપુરમાં તાજેતરની હિંસાએ રાજ્યમાં શાંતિના પ્રયાસોને મોટો ફટકો આપ્યો છે. હિંસાગ્રસ્ત મણિપુરમાં એક મહિનાથી વધુ સમયથી શાંતિ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અનામતને લઈને મીતેઈ અને કુકી સમુદાય વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘટના એવા સમયે બની છે જ્યારે એક દિવસ પહેલા જ કર્ફ્યુમાં રાહત આપવામાં આવી હતી. ખામેનલોક વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત તણાવ હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application