વડોદરા : રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, આવારાતત્વોએ પોલીસ પર પણ ફેક્યાં પથ્થર, પોલીસે કર્યો લાઠી ચાર્જ

  • March 30, 2023 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે રામ નવમીના પવિત્ર તહેવાર પર દેશ ભરમાં ભાવિક ભક્તો દ્વારા શોભા યાત્રાનું આયોજન કરાયુ છે. ત્યારે વિવાદિત વિસ્તારો પર પહેલેથી જ પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો છે, આ દરમિયાન વડોદરામાં આજના દિવસે રામ નવમીની શોભા યાત્રા પર પથ્થરમારો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે આ જૂથ અથડામણ થઇ છે.
​​​​​​​

સૂત્રો મુજબ, વડોદરાના ફતેપુરા વિસ્તારમાં આજે બપોરના સુમારે મસ્જીદ પાસેથી નીકળેલી શોભાયાત્રા પર કેટલાક આવારાતત્વોએ પથ્થરમારો કર્યો હતો. આ ઉપરાંત કેટલાક અસમાજિક તત્વોએ ભગવાન રામની મૂર્તિને ખંડિત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો.

ત્યારે આ ઘટના અંગે DCP ઝોન 3 યશપાલ જગાનીયાએ જણાવ્યું કે, સિટી પોલીસ સ્ટેશન નજીક રામનવમીની શોભાયાત્રા દરમિયાન એક મસ્જિદ આગળ થોડું ઘર્ષણ થયું હતું. તેમાં કોઈ મુદ્દો બન્યો નથી. હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિ છે, શોભાયાત્રા પોતાના રૂટ પર આગળ વધી ગઈ છે. હાલમાં પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, અને પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application