ઉપલેટા પંથકમાં ખાણખનીજ ખાતાની મીઠી નજરથી ભૂ-માફિયાઓ આઝાદ બની ગયા છે. આ વિસ્તારમાંથી પસાર થતી નદીઓમાંથી સંપૂર્ણપણે કુદરતી ખનીજ (રેતી)ના જથ્થાને ગેરકાયદે કાઢી કરોડો રૂપિયાના આસામી બની ગયા છે. ગણોદ, નાગવદર, મેખાટીંબી સહિતની જગ્યા ઉપર ભૂ-માફિયાઓ આઝાદ બની ખનીજચોરી કોઈનો ડર ન હોય તેવી રીતે કાઢી રહ્યા છે. છેક ઉપર સુધી ખાણખનીજ ખાતાને પ્રસાદ ધરવાથી કોઈ વાળ પણ વાંકો કરી શકતું નથી. ખનીજચોરોની ફરિયાદોને લઈને ગઈકાલે રજાના દિવસે પણ મામલતદાર મહેશ ધનવાણી પોતાની ટીમ સાથે વોંચમાં રહી ડુમિયાણી ટોલનાકેથી ત્રણ ટ્રકો લાઈમસ્ટોન ભરેલા પકડી પાડયા હતા.
જામજોધપુર તરફથી આવી રહેલ જી.જે.૨૫-યુ.૯૮૨૭, જી.જે.૨૫-ટી.૯૦૦૫, જી.જે.૧૦-ટી.ટ.૯૧૮૫ને ઝડપી લઈ ડ્રાઈવરોની પૂછપરછ કરતાં આ ખનીજ જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારમાંથી ભરી ધોરાજી પહોંચાડવાની હતી તેવી ડ્રાઈવરોની કેફિયતથી ખનીજની કોઈ પાસ પરમીટ ન હોય તેથી મામલતદાર ધનવાણીએ ૨૫ લાખ ૧૨ હજારનો મુદ્દામાલ કબજે કરી સ્થાનિક પોલીસને સોંપી દઈ ખાણખનીજ વિભાગને રિપોર્ટ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech