ભગવાન દ્વારકાધીશના ચરણોમા શીશ ઝુકાવતાં કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ

  • July 06, 2023 11:01 AM 

ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન, શ્રમ અને રોજગાર વિભાગના  કેન્દ્રિય મંત્રી ભૂપેન્દ્ર યાદવ આજે દ્વારકા જિલ્લાની મુલાકાતે પધાર્યા છે. કેન્દ્રીય વન મંત્રીએ જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા.


કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રીને દ્વારકા મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન - અર્ચન સાથે સાથે પાદુકા પૂજન પણ કરાવવામાં આવ્યું હતું.


આ તકે પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ધરાસભ્ય ઉદય કાનગડ, દ્વારકા પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, અગ્રણી નગાભાઈ ગાધેર, વિજય બુજળ, રમેશ હેરમાં સહિત ફોરેસ્ટ વિભાગના અધિકારી, કર્મચારીઓ ઊપસ્થિત રહ્યા હતા.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application