જેતપુર શહેરમાં વિકસીત ભારત યાત્રાનો આજથી બે દિવસ મુકામ

  • December 22, 2023 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જન સુધી પહોંચે અને છેવાડાના માણસને લાભ મળે તે હેતુથી સરકારી દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું રાજકોટ જિલ્લ ાનાં જેતપુર તાલુકાની નવાગઢ નગરપાલિકા તથા જેતપુર તાલુકા વહીવટી તંત્ર દ્વારા ૨૩ ડિસેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું છે.


સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી જન જન સુધી પહોંચાડતા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને જિલ્લ  અગ્રણી બિંદિયાબેન મકવાણા, રમેશભાઈ જોગી, જયસુખભાઈ ગુજરાતી,  રેખાબેન કમાણી, બાબુભાઈ ખાચરીયા, જેતપુર શહેર મામલતદાર વી. એન. ભારાઈ,  જેતપુર પી.એસ.આઈ. તેમજ આગેવાનોની ઉપસ્થિતિમાં ડો.આંબેડકર ચોક, નવાગઢ ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.


તા. ૨૧ ડિસેમ્બરના રોજ આ રથ ગોંદરા વિસ્તારના ખાખામઢી આશ્રમની આસપાસના વિસ્તારનાં લોકોને વિવિધ યોજનાઓના લાભો પૂરા પાડશે. જ્યારે તા. ૨૨ ડિસેમ્બરના રોજ આ રથ મારફત ધોરાજી રોડ પર આવેલા ફાયર સ્ટેશન ખાતે લાભાર્થીઓને વિવિધ લાભોથી લાભાન્વિત કરશે. આ વિકસિત યાત્રાનો નાગરીકોને વધુમાં વધુ લાભ લેવા માટે જેતપુર તાલુકા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application