પુલવામાં આતંકી હુમલામાં શહીદોને ખંભાળિયામાં શ્રદ્ધાંજલિ

  • February 15, 2023 06:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
પુલવામા ખાતે વર્ષ ૨૦૧૯ માં થયેલા આતંકી હુમલા સંદર્ભે ગઈકાલે મંગળવારે ખંભાળિયામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખંભાળિયામાં વિદ્યાર્થી સંસ્થા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા અહીંનાં જોધપુર ગેઈટ ચોક ખાતે ગાંધીજીની પ્રતિમા પાસે મંગળવારે સાંજે એકત્ર થઈ અને પુલવામાં હુમલામાં શહીદ થયેલા ૪૦ જેટલા દેશના વીર સપૂતોને બે મિનિટનું મૌન પાડી, શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે સાથે દેશભક્તિના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ આયોજનમાં સ્થાનિક લોકો પણ જોડાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application