જામનગરના કલેકટર અને ડીડીઓની બદલી

  • April 01, 2023 10:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાના કલેકટરની પણ બદલી થઇ: મ્યુ.કમિશ્નરની જગ્યા હજુ પણ ખાલી: જામનગરના કલેકટર પદે બી.એચ.શાહ અને ડીડીઓ વિકલ્પ ભારદ્વાજની નિમણુંક


લોકસભાની ચૂંટણીને હજુ વાર છે, પરંતુ સરકાર દ્વારા ગઇકાલે સાંજે ૧૦૯ આઇએએસની સાગમટે બદલી કરી નાખવામાં આવી છે, જામનગરના કલેકટર ડો.સૌરભ પારધીની જગ્યાએ પોરબંદરથી એ.એમ.શર્માને મુકવામાં આવ્યા છે, જયારે ડીડીઓ મીહીર પટેલની જગ્યાએ હેલ્થ વિભાગમાંથી વિકલ્પ ભારદ્વાજની વરણી થઇ છે, જયારે દેવભુમિ દ્વારકાના કલેકટર મુકેશ પંડયાને બઢતી આપીને સેટલમેન્ટ કમિશ્નર લેન્ડ વિભાગમાં મુકવામાં આવ્યા છે, પરંતુ જામનગરના મ્યુ.કમિશ્નરની ખુરશી હજુ ખાલી છે અને આ જગ્યા ઉપર શા માટે કોઇને મુકવામાં આવ્યા નથી તે અંગે ચર્ચાઓ શરૂ થઇ છે. 






જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીને ટુરીઝમ કોર્પોરેશનમાં એમ.ડી. બનાવાયા છે, જયારે ડીડીઓ મિહીર પટેલને અર્બન ડીપાર્ટમેન્ટ ઓફ હાઉસીંગ ડિપાર્ટમેન્ટમાં ડે.મ્યુ.કમિશ્નર અમદાવાદ તરીકે મુકી દેવામાં આવ્યા છે જયારે પોરબંદરથી કલેકટર એ.એમ.શાહને જામનગર બદલી કરવામાં આવી છે અને જામનગરના નવા ડીડીઓ તરીકે હેલ્થ વિભાગના ડે.સેક્રેટરી વિકલ્પ ભારદ્વાજની નિમણુંક થઇ છે. અગાઉ જામનગરમાં ફરજ બજાવી ચૂકેલા કેતન ઠકકરને પોરબંદરના ડીડીઓ બનાવાયા છે જયારે ડીડીઓ જાડેજાને મોરબી ડીડીઓ તરીકે મુકવામાં આવ્યા છે. 


જામનગરના મ્યુ.કમિશ્નર વિજયકુમાર ખરાડીની બદલી થયા બાદ હજુ સુધી કોઇની નિમણુંક થઇ નથી, ડીએમસી વસ્તાણીને અમરેલી મુકાયાને પણ સારો સમય થઇ ગયો છે, એએમસી ભાર્ગવ ડાંગરની પણ છ મહીના પહેલા બદલી થઇ છે, આ તમામ જગ્યાઓ ઉપર હજુ સુધી કોઇની નિમણુંક ન કરાતા લોકોને પણ આશ્ર્ચર્ય થયું છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application