આજે વસંત પંચમી : વિદ્યા આરંભ કે શુભ કાર્ય માટે શ્રેષ્ઠ મનાય છે આજનો દિવસ, જાણો આજના દિવસનું પૌરાણિક મહત્વ

  • January 27, 2023 12:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે 26 જાન્યુઆરી અને વસંત પંચમીનો તહેવાર સાથે ઉજવવામાં આવી રહ્યો છે. શાસ્ત્રો મુજબ વસંત પંચમી પર પીળા રંગનું વિશેષ મહત્વ છે.


માહ મહિનાના શુક્લ પક્ષની પંચમી પર વિદ્યા અને જ્ઞાનની દેવી સરસ્વતીના પ્રગટ્ય દિવસ તરીકે વસંત પંચમી ઉજવાય છે. વસંત પંચમીના દિવસને વણજોયુ મૂહૂર્ત કહેવામાં આવે છે. આ દિવસે શુભ કાર્યની શરૂઆત કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. શિક્ષણની શરૂઆત કરવા માટે વસંત પંચમીનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

વસંત પંચમીને સરસ્વતી પંચમી, શ્રી પંચમી અને મધુમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે વસંત પંચમી ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે 5 શુભ યોગોનો સંયોગ છે.
​​​​​​​

વસંત પંચમી પર પીળા રંગનું વિશેષ મહત્વ અને ગુરુવારે પીળા રંગની વસ્તુઓનું પૂજન અને દાન કરવાથી સુખ, ધન અને સમૃદ્ધિમાં વધારો થાય છે. આવી સ્થિતિમાં ગુરુવાર અને વસંત પંચનીનો અદભૂત સંયોગ આ પર્વના મહત્વને વધારી દે છે.

પૌરાણિક કથા અનુસાર, જ્યારે ભગવાન બ્રહ્મા સૃષ્ટિની રચના કરી રહ્યા હતા, ત્યારે વિશ્વમાં વાણી નહોતી. તેણે પોતાના કમંડળ વડે પૃથ્વી પર પાણી છાંટ્યું, જેમાંથી શક્તિનું છ હાથધારી સ્ત્રી સ્વરૂપ પ્રગટ થયું, હાથમાં પુસ્તક, ફૂલ, કમંડળ, વીણા અને માળા સાથે  દેવીએ વીણા વગાડતાં જ ચારેબાજુ વેદ મંત્રો ગુંજી ઉઠ્યા. આ દેવીને માતા સરસ્વતીનું નામ આપવામાં આવ્યું. જે દિવસે દેવી સસ્વતીનો જન્મ થયો હતો, તે દિવસે માહ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિ હતી, ત્યારથી માતા સરસ્વતીની પૂજાની પરંપરા વસંત પંચમીના દિવસે શરૂ થઈ હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application