રાજકોટની તમામ શાળાઓમાં કાલથી સમય બદલશે, જિલ્લા શિક્ષણાધિકરીનો તમામ આચર્યોને પરિપત્ર

  • January 19, 2023 12:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર રાજ્યમાં આગામી ચાર–પાંચ દિવસ શીતલહેરની આગાહી છે, ત્યારે જિલ્લા કલેકટરશ્રી અણ મહેશ બાબુના નેતૃત્વમાં વહીવટી તત્રં યુદ્ધના ધોરણે એકશનમાં આવી ગયું છે. નિવાસી અધિક કલેકટરશ્રી કેતન ઠક્કર (આઈ.એ.એસ.)ના અધ્યક્ષ સ્થાને આજે શીતલહેર સામે તકેદારીના પગલાં લેવા બેઠક યોજાઈ હતી. જેમાં શીતલહેર સામે ઝીરો કેયુઆલિટીની નીતિ સાથે બહુઆયામી એકશન પ્લાન બનાવીને કાર્ય કરવા સૂચના આપવામાં આવી હતી.

ઠક્કરે જિલ્લાના તમામ નાયબ કલેકટરો, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, આરોગ્ય અધિકારીઓ, પાલિકા તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વરા અત્યાર સુધીમાં લેવાયેલા પગલાંની સમીક્ષા કરી હતી.

​​​​​​​​​​​​​​

જો કે, શહેરની જસાણી શાળામાં બાળકીનું મૃત્યુ થતા, ઠંડીના કારણે બાળકીનું મોતના થયું હોવાના આક્ષેપ બાદ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકરીએ પરિપત્ર કર્યો જાહેર કર્યો છે. જેના મુજબ રાજકોટ શહેરની તમામ શાળાઓ હવે 8 વાગ્યે જ શરુ થશે. સવારના સમયે શરુ થતી શાળાઓના આચાર્યોને ટાંકીને પરિપત્રમાં લખાયું છે કે, શાળાના તમામ વિદ્યાથીઓ પર કોઈ નિયમ લાધ્યા વગર સ્વેટર અથવા ગરમ પહેરવાની છૂટ આપવામાં આવે અને જ્યાં સુધી આગામી પરિપત્ર ન આવે ત્યાં સુધી આ સમાય જ યથાવત રાખવામાં આવે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application