મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ધમકી ભર્યો કોલ, ઇન્ડિયન મુજાહિદ્દીન નામના આતંકવાદી સંગઠનની ધમકી બાદ તંત્ર એલર્ટ પર

  • February 07, 2023 05:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટને પર ધમકીભર્યો ફોન આવ્યો છે, જે બાદ એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઇન્ડિયન મુજાહિદ્દીન નામના આતંકવાદી સંગઠન તરફથી એરપોર્ટ સેન્ટર પર આ ધમકીભર્યો ફોન આવ્યો હોઅવાના સમાચાર છે, જેના પછી મુંબઈ પોલીસ સહિતની એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે.

સોમવારે રાત્રે અંદાજીત 10 વાગ્યે એરપોર્ટ સેન્ટર પર જ ધમકી ભર્યો કોલ આવ્યો હતો. કોલ કરનાર વ્યક્તિએ પોતાનું નામ ઈરફાન અહેમદ શેખ જણાવ્યુ અને કહ્યું કે તે ઈન્ડિયન મુજાહિદ્દીન નામના આતંકી સંગઠનનો સભ્ય છે. 

એરપોર્ટ સેન્ટરના સભ્યએ આ અંગે મુંબઈ પોલીસને જાણ કરી હતી. માહિતી મળ્યા બાદ એરપોર્ટની તમામ એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી હતી. પોલીસે આ અજાણ્યા વ્યક્તિ સામે IPCની કલમ 505(1) હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application