વીરનગરમાંથી બે ભેંસ ચોરનાર ત્રિપુટી ટોળકીને ઝડપી પડાઇ

  • December 21, 2023 09:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આટકોટના વીરનગરમાંથી બે ભેસ અને વાછરડાની ચોરી કરનાર રાજકોટ અને અમદાવાદના ત્રણ શખ્સોને એલસીબી ટીમ ઝડપી લીધા હતા આ ત્રિપુટી રાતે છોટાહાથી લઈ અલગ અલગ ગામો અને શહેરોમાં પશુઓની ચોરી કરતા હોવાનું ખુલ્યું છે આ પશુ ચોરીના ગુનાઓનું અંજામ આપનાર મૂળ ધોળકાનો છાપરાફળીમાં હાલ રાજકોટ રૈયા ગામે રહેતો કાંતિ ઉર્ફ પરસોતમ વાઘેલા તેમજ જીતેન્દ્ર જીતુ દીપા વાઘેલા બાવળાનો રાજુ વાધેલાની ધરપકડ કરી હતી મોબાઈલ નંગ ચાર કિંમત ૨૦,૦૦૦ મળી કુલ ૮૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો રાજકોટ એલસીબીના વી.વી.આડોદરા માર્ગદર્શન ગોહિલ તેમજ ડી.જી.બટવા સહિતના એલસીબીના સ્ટાફે કામગીરી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application