દેશના એકમાત્ર એવા અનોખા પક્ષી મંદિરો બની રહ્યા છે ખંઢેર 

  • February 15, 2024 06:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં આવેલું છે ભારતનું એકમાત્ર પક્ષી મંદિર, અહીં લોકોની માનતા થાય છે પૂર્ણ. લોક વાયકા પ્રમાણે અહીં પહેલા ગધેશ્વર નગર હતું અને આવા ૧૨૫  મંદિરો અહીં અસ્તિત્વ ધરાવતા હતા. જેમાંના આજે માત્ર ૭ મંદિરો કાળની થપાટો ઝીલતા અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યા છે.


અનાદી કાળથી માનવીનો પશુ અને પક્ષીઓ સાથેનો સંબંધ સ્વજન સમો અતુટ રહ્યો છે. વળી, હિંદુ સંસ્કૃતિમાં તો પશુ પક્ષીઓને દેવી દેવતાઓના વાહન તરીકેનું સ્થાન મળ્યું છે. ત્યારે સાબરકાંઠા જીલ્લામાં આ પશુ પક્ષીઓના માનવી સાથેના સબંધોનું એક અતુટ પ્રતિક સમાન ભારતનું એક માત્ર પક્ષી મંદિર આવેલું છે. રોડાનાં મંદિરો, સાતમી સદીના સાત મંદિરોનો સમૂહ છે. સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિમતનગરથી ૧૫ કિલોમીટરનાં અંતરે આવેલા આ રોડાના મંદિરો આપણા પૂર્વજોની કલાપ્રીયતા અને પશુ પક્ષીઓ પ્રત્યેના અસીમ પ્રેમને વર્ણવતા આજે પણ ઉભા છે. અહીં દેવી દેવતાઓના પ્રાચીન  મંદિરો તો અસ્તિત્વ ધરાવે જ છે પણ સાથે સાથે પક્ષી મંદિર અસ્તિત્વ ધરાવે છે. ભારતનું એક માત્ર પક્ષી મંદિર જ્યાં આપણા પૂર્વજો પક્ષીઓની પૂજા કરતા હશે.

​​​​​​​આ વાતની અંગ્રેજ સરકારે પણ નોધ લીધેલી છે. તો મહારાષ્ટ્રમાંથી ગુજરાત જે વખતે અલગ પડ્યું તે વખતના ગેઝેટમાં પણ આનો ઉલ્લેખ કરાયો છે. અહીના તમામે તમામ મંદિરો કલા, કોતરણી અને સ્થાપત્યના ઉત્તમ નમુના રૂપ છે. શિવમંદિર, વિષ્ણુ મંદિર, નવ ગ્રહોના મંદિર અને લાડેચી માતાના મંદિરની સમકક્ષ જ અહીં આ પક્ષી મંદિર આવેલું છે. મંદિરની અંદર હાલમાં કોઈ પ્રતિમા નથી પરંતુ અંદરની દીવાલ પર કોતરાયેલા પશુ પક્ષીઓ જોઇને અંદાજ લગાવી શકાય કે, અહીં વિષ્ણુ ભગવાનની સાથે સાથે જ પક્ષીઓની પણ પૂજા કરવામાં આવતી હતી. જાળવણી ના અભાવે હાલ આ સ્થાપત્યો ખંડેર બની રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application