રોવર પ્રજ્ઞાનને ચંદ્ર પર આ બાબતથી સૌથી મોટો ખતરો  

  • August 24, 2023 04:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતે ગઈકાલે ઈતિહાસ રચ્યો છે, ઈસરોએ તેના ત્રીજા ચંદ્ર મિશનમાં સફળતા હાંસલ કરી છે, ત્યારબાદ હવે રોવરને ચંદ્રની સપાટી પર લેન્ડ કરવામાં આવ્યું છે. રોવર ચંદ્ર પર અનેક પ્રકારના સંશોધન કરશે. ચંદ્ર પર ઉતર્યા બાદ રોવર સીધા ઈસરોને તસવીરો મોકલવાનું કામ કરશે.


રોવર પ્રજ્ઞાન આગામી 14 દિવસ સુધી ચંદ્ર પર વિવિધ તત્વોની શોધ કરશે. રોવર પ્રજ્ઞાનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે ચંદ્રની સપાટી પર સરળતાથી ચાલી શકે છે અને તેનું કામ પૂર્ણ કરી શકે છે. પણ રોવર પ્રજ્ઞાનને ચંદ્ર પર એક મોટો ખતરો છે. જેના કારણે નુકસાન થવાની આશંકા છે. છેલ્લા કેટલાક દાયકાઓથી ચંદ્ર પર ઉલ્કાઓ પડવાની ઘટનાઓ સામાન્ય છે. અહીં કેટલાય કિલો વજનના પત્થરો ઝડપ સાથે પડે છે.


આ જ કારણ છે કે ચંદ્રની સપાટી પર હજારો અને લાખો ખાડાઓ જોવા મળે છે. જો કે આવું રોજ બનતું નથી, પરંતુ ઘણી વખત અઠવાડિયા-મહિના પછી આવી ઘટનાઓ બને છે. હવે સંશોધનના આ સમયગાળા દરમિયાન જો કોઈ ઉલ્કા પડે તો મુશ્કેલી ઉભી થઇ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application