NHAIને રજૂઆત છતાં પરિણામ મીંડું : અંતે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખે પરિવહન કેન્દ્રીય મંત્રીને પત્ર લખ્યો, કહ્યું, "રાજકોટથી જેતપુર નેશનલ હાઈવે તાત્કાલિક ધોરણે રીપેર કરાવો"

  • August 05, 2023 09:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

NHAIને રજૂઆત છતાં પરિણામ મીંડું : અંતે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખે પરિવહન કેન્દ્રીય મંત્રીને પત્ર લખ્યો, કહ્યું, "રાજકોટથી જેતપુર નેશનલ હાઈવે તાત્કાલિક ધોરણે રીપેર કરાવો"



પરિવહન કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીને રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ દ્વારા રાજકોટથી જેતપુર નેશનલ હાઈવે તાત્કાલિક ધોરણે રીપેર કરાવવા રજૂઆત કરવામાં આવી છે.



રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશ ઢોલરીયાએ રાજકોટ જીલ્લાના રાજકોટથી જેતપુર નેશનલ હાઈવેની વરસાદી કારણોસર ઘણા સમયથી હાઈવેની હાલત ખુબજ ખરાબ થઇ ગઈ છે, આજુબાજુના જીલ્લાઓને જોડતો મુખ્ય ધોરીમાર્ગ સમાન આ હાઈવે ઉપર દિવસ-રાત સતત ધમધમતો વાહનોથી હોય અને આજુબાજુના તાલુકા કક્ષાના તેમજ ગ્રામીણ રૂરલના લોકો અવરજવર અને મેડીકલ સારવાર અર્થે મુખ્ય માર્ગ છે. આ કારણોસર તેમજ અતિશય રોડ ખરાબ હોવાથી વારંવાર અકસ્માતો બનતા હોવાથી તાત્કાલિક ધોરણે રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષને ધ્યાને આવતા તેમણે ઉચ્ચ કક્ષાએ પરિપત્ર દ્વારા લેખિત જાણ કરી પરિવહન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને નેશનલ હાઈવે ઓથોરીટીને આ બાબતે ઘણા સમયથી રજુઆતો કરેલી છે જે ધ્યાને ન લેવાતા કેન્દ્રીય મંત્રીને વ્યક્તિગત આ સમસ્યા ધ્યાને દોરીને તાત્કાલિક ધોરણે હાઇવેની રીપેર કરવા માંગણી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application