સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ભાયાવદર ખાતે સ્વચ્છતા રેલી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા

  • September 18, 2024 11:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪ના ભાગરૂપે તેમજ સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણી નિમિત્તે તા.૧૭ સપ્ટેમ્બર થી તા.૦૨ ઓકટોબર દરમ્યાન “સ્વચ્છતા પખવાડીયા” નું આયોજન કરવામાં આવ્યું છે. ભાયાવદર નગરપાલિકા દ્વારા આ અવસરે આજે ‘સ્વચ્છતા રેલી’ યોજવામાં આવી હતી. જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર, સ્ટાફ, જનપ્રતિનિધિ, મ્યુનિ.કુમાર શાળાના પ્રિન્સીપાલ, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ વિગેરે જોડાયા હતા. 

   

રેલી ઉપરાંત “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’’ અંતર્ગત ભાયાવદર નગરપાલિકા દ્વારા સરદાર પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને ભાયાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, મ્યુનિસિપલ બોઈઝ સ્કૂલના પ્રિન્સિપાલ તથા બ્રાન્ડ એમ્બેસેડર દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 

     

આ કાર્યક્રમમા લોકગીત, સ્વચ્છતા સંવાદ, સેલ્ફી પોઈન્ટ વગેરે જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તથા સ્વચ્છતા પખવાડિયા અંગેની માહિતી આપવામા આવી હતી. આ તકે શહેરના આગેવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા નાગરીકોએ બહોળી સંખ્યામા ઉપસ્થિત રહી સ્વચ્છતા જાગૃતિ અંગેના શપથ લીધા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application