તળાજા નગરપાલિકા ખાતે ધારાસભ્ય ગૌતમભાઇ ચૌહાણની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

  • August 12, 2023 12:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

વીર અને વીરાંગનાઓ તથા રાષ્ટ્રની માટીને વંદન


સ્વાતંત્ર્ય પર્વનાં અવસરે માતૃભૂમિના વીર અને વીરાંગનાઓ તથા રાષ્ટ્રની માટીને વંદન કરવાના હેતુથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આગામી તા.૩૦ ઓગસ્ટ, ૨૦૨૩ સુધી સમગ્ર દેશમાં ''મારી માટી, મારો દેશ'' કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લમાં પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.


તળાજા નગરપાલિકા ખાતે ધારાસભ્ય ગૌતમભાઇ ચૌહાણનાં હસ્તે શિલાફલકમનું લોકાર્પણ કરાયું હતુ. આ તકે ધારાસભ્યએ વીરોને અંજલી આપીને તેના બલિદાન તથા દેશસેવાને બિરદાવી હતી. આ ઉપરાંત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તથા અમૃતકળશમાં ગામની માટીને એકત્ર કરવામાં આવી હતી. 


આ પ્રસંગે તળાજા નગરપાલિકાનાં ચિફ ઓફિસર કૃપેશ પટેલ સહિતનાં અધિકારીઓ, વિસ્તારનાં આગેવાનો સહિત શહેરીજનોએ ભાગ લઇને પંચપ્રાણ પ્રતિજ્ઞા લીધી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application