જામનગર મહાનગરપાલિકામાં કાયમી કે કોન્ટ્રાક્ટર પર ભરતી કરવામાં આવતી નથી અને હાલમાં કેટલાય સમયથી આઉટસોર્સીંગથી કર્મચારીની ભરતી કરાઇ છે, પરંતુ આ એજન્સીઓના કર્મચારીઓના બે બે માસ સુધી પગાર કરતી નથી અને પીએફ પણ જમા કરતી નથી, આ માટે કોઇ કાર્યવાહી નહીં કરાય તો ત્રણ દિવસ સુધી ધરણાં કરવામાં આવશે તેવી ચેતવણી આપ્યા બાદ આજે મહિલા કોર્પોરેટર રચના નંદાણીયાએ મેયરની ઓફિસે બારણાં ઉપર એક આવેદનપત્ર ચોંટાડ્યું હતું અને વિરોધ કર્યો હતો.
આ પત્રમાં જણાવ્યું છે કે આઉટસોર્સીંગ કર્મચારીઓને બે મહિનાથી પગાર ચૂકવાયો નથી અને તેનું પીએફ પણ જમા કરાવાયું નથી, તા. ૩૧/૦૩/ર૦ર૩ ના રોજ કેટલાકનો કોન્ટ્રાક્ટર પૂરો થાય છે, ત્યારે કર્મચારીઓનું પીએફ આવી કંપનીઓના માલિકો ન પચાવી પાડે તે અંગે ઘ્યાન રાખવાની જરૂર છે, નહીંતર આ અંગે આશ્ર્ચર્યજનક કાર્યક્રમ યોજવામાં આવશે.
બીજા પત્રમાં જણાવાયું છે કે કોર્પોરેશનમાં કાયમી કર્મચારીઓની નિમણુંકના બદલે આઉટસોર્સીંગની નિમણુંક કરવામાં આવે છે, જેટલી એજન્સીઓને ટેન્ડર લાગ્યું હતું, તે બધી જ એજન્સીઓ સમયસર પગાર કરતી નથી, અમુક લોકોને પીએફ નંબર પણ આપવામાં આવેલ નથી, જેમને નંબર અપાયા છે તેમના ખાતામાં પીએફ જમા કરાવાયું નથી, જો આ એજન્સી સામે કાર્યવાહી નહીં કરાય તો મ્યુ. કમિશ્નર, મેયર અને ચેરમેનની ઓફિસની સામે ધરણાં કરવામાં આવશે તેવી ચેતવણી અપાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech