સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળાનું આજે મંત્રી મુળુ બેરા અને કુંવરજી બાવળિયાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ વર્ષે આ લોકમેળાનું નામ ‘રસરંગ લોકમેળો’ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં 5 દિવસ દરમિયાન 10 લાખ લોકો ઉપસ્થિત રહેવાની શક્યતા છે. જેને લઇને પોલીસના અધિકારીઓ, જવાનો અને કર્મચારીઓ સહિત 1300 જેટલા જવાનોને આ મેળામાં તૈનાત રાખવાના આવશે. રાઉન્ડ ધ ક્લોક લોકોની સુરક્ષા માટે ફરજ પર પોલીસ અધિકારીઓ તૈનાત રહેશે. આ વખતે પ્રથમ વખત ગુનેગારો પર નજર રાખવા માટે મેળામા બંદોબસ્ત માટે સૌરાષ્ટ્રભરમાંથી પોલીસને તૈનાત કરવા આયોજન કરવામાં આવ્યું છે.
આ સાથે જ લોકોની સુરક્ષા અને સુવિધા માટે ચાર કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યા છે. જરૂરિયાતના સમયમાં આ કંટ્રોલરૂમ પર સંપર્ક કરી શકાશે. જેમાં લોકમેળા સમિતિ, પોલીસ કન્ટ્રોલ, રાજકોટ મહાનગરપાલિકા અને PGVCL તથા ઇલેક્ટ્રિક કંટ્રોલરૂમ તૈનાત કરવામાં આવ્યા છે. 44 જેટલી નાની-મોટી રાઈડ્સ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમજ લોકમેળામાં 30 કર્મીઓને વોકી-ટોકી આપવામાં આવ્યા છે. 100 ખાનગી સિક્યોરીટી ગાર્ડ પણ તૈનાત છે. આઈસ્ક્રીમ, ખાણી-પીણીના સ્ટોલ, ચકરડી, ફજત ફાળકા, મોતના કુવા સાથે મનોરંજનની મજા સૌરાષ્ટ્રવાસીઓ માણશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech