ગઢકડામાં હુમલાનો બનાવ હત્યામાં પલટાયો

  • November 24, 2023 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામજોધપુરના ગઢકડામાં અઠવાડીયા પહેલા બનેલા હુમલાનો બનાવ હત્યામાં પલટાયો છે. પોલીસે આ અંગેની કલમનો ઉમેરો કર્યો છે.
જામજોધપુરના ગઢકડામાં રહેતા રજાક હુશેનભાઇ ઉનડ (ઉ.વ.૩૧) નામના યુવાનને ઇકબાલ સાથે રસ્તા પર ટ્રેકટર નજીકથી ચલાવવા બાબતે બોલાચાલી થઇ હતી જે બાબતનું મનદુ:ખ રાખી ગત તા. ૧૬ના આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી ધોકા, પાઇપ, કુહાડી જેવા હથીયારો સાથે ઘસી આવી ફરીયાદી રજાકને વાંસામાં અને સાહેદ હુશેનભાઇ (ઉ.વ.૬૦)ને માથામાં હેમરેજ તથા ફ્રેકચર સહિતની ઇજાઓ પહોચાડી ધમકી દીધી હતી.



આ અંગે શેઠવડાળા પોલીસમાં ફીરોજ, ઇકબાલ, યાસીન, યુસુફ, શાહ‚ખ, અયુબ અને અન્ય બે અજાણ્યા ઇસમો વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી. ગંભીર રીતે ઘવાયેલા વૃઘ્ધને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જયા સારવાર દરમ્યાન વૃઘ્ધનું મૃત્યુ થતા બનાવ હત્યામાં પલટાયો હતો, દરમ્યાનમાં શેઠવડાળાના પીએસઆઇ ઓડેદરા અને જમાદાર સતુભા દ્વારા આ બનાવ અંગે તપાસ કરીને ફરીયાદીના આધારે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application