કોર્પોરેશને ૧૧૮ આસામીઓ પાસેથી રૂ.૨૭ લાખની વસુલાત કરી

  • March 14, 2023 11:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા બાકી વેરો વસૂલવા માટેની જુદી-જુદી ચાર ટીમોને દોડતી કરાવવામાં આવી છે અને ગઈકાલે શહેરમાં એકી સાથે ૧૧૮ આસામીઓ પાસેથી રૂ.૨૭ લાખથી વધુની બાકી રોકાતી મિલકત વેરાની રકમ વસૂલ કરવામાં આવી છે. ઉપરાંત વેરો નહીં ભરનારા છ આસામીઓની મિલકત સીલ કરવામાં આવી છે.


 જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા ગઈકાલે તા. ૧૨.૩.૨૦૨૩ ના દિવસ દરમિયાન શહેરના જુદા-જુદા વિસ્તારમાં બાકી રોકાતો વેરો વસૂલવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં વોર્ડ નંબર ૧માં  ત્રણ આસામીઓ પાસેથી રૂ.૧૭,૧૬૦ની રકમ વસુલ કરવામાં આવી છે. વોર્ડ નં.૨ માં ૧૫ આસામીઓ પાસેથી રૂ.૪,૩૧,૧૯૦, વોર્ડ નં.૩ માં સાત આસામીઓ પાસેથી રૂ.૨,૮૧,૧૧૪, વોર્ડ નં.૪ માં ૮  આસામીઓ પાસેથી રૂ.૧,૪૬,૬૦૧, વોર્ડ નં.૫ માં ૧૪  આસામીઓ પાસેથી રૂ.૨,૮૦,૧૪૨, વોર્ડ નં.૬ માં પાંચ આસામી પાસેથી રૂ.૯૧,૯૮૦ ની રકમ વસુલ કરવામાં આવી છે. ઉપરાંત વોર્ડ નં.૮ માં ત્રણ આસામીઓ પાસેથી રૂ.૬૯,૬૮૦, વોર્ડ નં.૯ માં એક આસામીઓ પાસેથી રૂ.૨૦,૬૮૦, વોર્ડ નં.૧૦ માં ૩ આસામીઓ પાસેથી રૂ.૫૯,૧૨૯,  વોર્ડ નં.૧૧માં પાંચ આસામીઓ પાસેથી રૂ.૭૮,૪૪૪, વોર્ડ નં.૧૨માં ૪ આસામીઓ પાસેથી રૂ.૮૨,૨૪૪ ની રકમ વસુલ કરવામાં આવી છે.


આ ઉપરાંત વોર્ડ નં.૧૩ માં ૮ આસામીઓ પાસેથી રૂ.૧,૯૨,૪૯૯, વોર્ડ નં.૧૪ માં ૧૧ આસામીઓ પાસેથી રૂ.૩,૬૨,૬૦૭, વોર્ડ નં.૧૫માં પાંચ આસામીઓ પાસેથી રૂ.૧,૪૧,૫૩૪, વોર્ડ નં.૧૭ માં ૧૭  આસામીઓ પાસેથી રૂ.૩,૯૮,૨૦૧, વોર્ડ નં.૧૮ માં એક આસામી પાસેથી રૂ.૧૫,૨૦૦ અને વોર્ડ નં.૧૯ માં ૮ આસામીઓ પાસેથી રૂ.૧,૩૭,૫૬૫ સહિત કુલ-૧૧૮  આસામીઓ પાસેથી કુલ રૂ.૨૭,૨૮,૨૧૭ની વસુલાત કરવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડ નં.૧૩માં ૬  મિલ્કત ધારકો કે જેઓએ રૂ.૧,૩૬,૪૮૬ ની રકમ ભરપાઈ કરી ન હોવાથી તેઓની ૬ મિલ્કત ને જપ્ત કરી લેવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application