જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા બાકી વેરો વસૂલવા માટેની જુદી-જુદી ચાર ટીમોને દોડતી કરાવવામાં આવી છે અને ગઈકાલે શહેરમાં એકી સાથે ૧૧૮ આસામીઓ પાસેથી રૂ.૨૭ લાખથી વધુની બાકી રોકાતી મિલકત વેરાની રકમ વસૂલ કરવામાં આવી છે. ઉપરાંત વેરો નહીં ભરનારા છ આસામીઓની મિલકત સીલ કરવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા ગઈકાલે તા. ૧૨.૩.૨૦૨૩ ના દિવસ દરમિયાન શહેરના જુદા-જુદા વિસ્તારમાં બાકી રોકાતો વેરો વસૂલવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં વોર્ડ નંબર ૧માં ત્રણ આસામીઓ પાસેથી રૂ.૧૭,૧૬૦ની રકમ વસુલ કરવામાં આવી છે. વોર્ડ નં.૨ માં ૧૫ આસામીઓ પાસેથી રૂ.૪,૩૧,૧૯૦, વોર્ડ નં.૩ માં સાત આસામીઓ પાસેથી રૂ.૨,૮૧,૧૧૪, વોર્ડ નં.૪ માં ૮ આસામીઓ પાસેથી રૂ.૧,૪૬,૬૦૧, વોર્ડ નં.૫ માં ૧૪ આસામીઓ પાસેથી રૂ.૨,૮૦,૧૪૨, વોર્ડ નં.૬ માં પાંચ આસામી પાસેથી રૂ.૯૧,૯૮૦ ની રકમ વસુલ કરવામાં આવી છે. ઉપરાંત વોર્ડ નં.૮ માં ત્રણ આસામીઓ પાસેથી રૂ.૬૯,૬૮૦, વોર્ડ નં.૯ માં એક આસામીઓ પાસેથી રૂ.૨૦,૬૮૦, વોર્ડ નં.૧૦ માં ૩ આસામીઓ પાસેથી રૂ.૫૯,૧૨૯, વોર્ડ નં.૧૧માં પાંચ આસામીઓ પાસેથી રૂ.૭૮,૪૪૪, વોર્ડ નં.૧૨માં ૪ આસામીઓ પાસેથી રૂ.૮૨,૨૪૪ ની રકમ વસુલ કરવામાં આવી છે.
આ ઉપરાંત વોર્ડ નં.૧૩ માં ૮ આસામીઓ પાસેથી રૂ.૧,૯૨,૪૯૯, વોર્ડ નં.૧૪ માં ૧૧ આસામીઓ પાસેથી રૂ.૩,૬૨,૬૦૭, વોર્ડ નં.૧૫માં પાંચ આસામીઓ પાસેથી રૂ.૧,૪૧,૫૩૪, વોર્ડ નં.૧૭ માં ૧૭ આસામીઓ પાસેથી રૂ.૩,૯૮,૨૦૧, વોર્ડ નં.૧૮ માં એક આસામી પાસેથી રૂ.૧૫,૨૦૦ અને વોર્ડ નં.૧૯ માં ૮ આસામીઓ પાસેથી રૂ.૧,૩૭,૫૬૫ સહિત કુલ-૧૧૮ આસામીઓ પાસેથી કુલ રૂ.૨૭,૨૮,૨૧૭ની વસુલાત કરવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડ નં.૧૩માં ૬ મિલ્કત ધારકો કે જેઓએ રૂ.૧,૩૬,૪૮૬ ની રકમ ભરપાઈ કરી ન હોવાથી તેઓની ૬ મિલ્કત ને જપ્ત કરી લેવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech