ઘેલા સોમનાથ મંદિર યોજાનાર લોકમેળાના સ્ટોલ માટેની હરરાજી આ તારીખથી થશે શરૂ...

  • July 01, 2023 09:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના સોમપીપળીયા ખાતે આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ઘેલા સોમનાથ ખાતે શ્રાવણ માસ દરમ્યાન લોકમેળાનું આયોજન કરવામાં આવશે, જેથી શ્રી ઘેલા સોમનાથ મંદિર હસ્તક આવેલા કોમ્યુનીટી હોલમાં હોટેલ, રેસ્ટોરન્ટ વગેરે ફાસ્ટફૂડના ઉપયોગ માટે તા.૧૦/૦૮/૨૦૨૩ થી તા.૨૦/૦૯/૨૦૨૩ સુધી ભાડે આપવાનું નકકી કરવામાં આવ્યું છે. જેની હરરાજી તા.૦૬/૦૭/૨૦૨૩ના રોજ તાલુકા સેવા સદન, પ્રાંત કચેરી, જસદણ ખાતે બપોરના ૩ ક્લાકે યોજાશે.




આ માટે રસ ધરાવતી પાર્ટીઓએ નીચે મુજબની શરતો સાથે તા.૦૫/૦૭/૨૦૨૩ સુધીમાં બી.એચ.કાછડીયા, વહીવટદાર ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ મો. ૯૩૭૫૦૯૦૩૯૯નો સંપર્ક કરવાનો રહેશે. જેની શરતો આ મુજબ છે...




હરરાજીમાં જોડાવા માટે અગાઉ સ્થળ પર જઈને કોમ્યુનીટી હોલની જગ્યાનું સ્થળ નિરીક્ષણ જે-તે પાર્ટીએ કરી લેવાનું રહેશે. જગ્યા જે સ્થિતિમાં છે તે જ સ્થિતિમાં ઉપયોગ કરવાનો રહેશે અને મંદિર ટ્રસ્ટને પરત સોંપવાનું રહેશે. કોમ્યુનીટી હોલની જગ્યાનું લાઈટબીલ સહિતના અન્ય તમામ વેરાઓ જે તે પાર્ટીએ ભરવાના રહેશે. આ હરરાજીની અપસેટ કિંમત રૂા.૨,૧૧,૦૦૦ રહેશે. અને આખરી નિર્ણય સભ્યસચિવશ્રી ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ અને મામલતદારશ્રી જસદણનો રહેશે. તેમ સભ્યસચિવશ્રી ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ અને મામલતદાર, જસદણની યાદીમાં જણાવાયુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application