એસટીની નવી વોલ્વો બસ સેવા: જૂનાગઢ-અમદાવાદ વાયા રાજકોટનો કાલથી પ્રારંભ

  • July 31, 2023 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા ખાનગી ટ્રાવેલ્સ કંપનીઓને હરિફાઇમાં ટક્કર આપવા અને મુસાફરોને વધુ સારી સુવિધા આપવાના હેતુથી વોલ્વો બસ સેવા શરૂ કરાઇ છે જેને મુસાફરોમાંથી વ્યાપક પ્રતિસાદ મળતા હવે નવા રૂટ શરૂ કરવામાં આવી રહ્યા છે. દરમિયાન તે અંતર્ગત કાલથી જૂનાગઢ-અમદાવાદ વોલ્વો બસ સેવાનો શુભ આરંભ કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળે છે.
​​​​​​​
વિશેષમાં ગુજરાત રાજ્ય એસ.ટી.નિગમના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આવતીકાલે તા.૧ ઓગસ્ટ ૨૦૨૩થી જૂનાગઢથી અમદાવાદ વોલ્વો એસટી બસની સુવિધાનો પ્રારંભ થનાર છે જેનો લાભ વીરપુર (જલારામ)અને રાજકોટની જનતા ને પણ મળશે. વોલ્વો જૂનાગઢથી અમદાવાદ જવા માટે ઉપાડવાનો સમય સવારે ૫-૩૦ કલાકનો રહેશે.અમદાવાદથી જૂનાગઢ માટે ઉપડવાનો સમય સાંજે ૬-૦૦ કલાકનો રહેશે. આ વોલ્વો બસ જતા અને આવતા વીરપુર (જલારામ) અને રાજકોટ થઇને ચાલશે.


આગામી દિવસોમાં સૌરાષ્ટ્રથી ગુજરાતને જોડતા લાંબા અંતરના વિવિધ એક્સપ્રેસ બસ રૂટ તેમજ ખાસ કરીને તીર્થધામોના રૂટ ઉપર પણ વોલ્વો દોડાવવાનું આયોજન હોવાનું જાણવા મળે છે. ડેપો ખાતે ઓનલાઇન એડવાન્સ બુકિંગની સુવિધા ઉપલબ્ધ છે. તદ્દઉપરાંત જીએસઆરટીસીની એપ મારફતે પણ મુસાફરો તેમના મોબાઇલ ફોનમાંથી જ ઓનલાઇન બુકિંગ જાતે પણ કરી શકે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application