- દિલ્હી એરપોર્ટ પર કિયારા અડવાણી નવવધુના લુકમાં દેખાઇ
- 12મીએ મુંબઇમાં બોલીવૂડ મિત્રો માટે યોજાશે ગ્રાન્ડ રિસેપ્શન
- સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી એ 7 ફેબ્રુઆરીના રોજ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યા હતા. આ પ્રસંગમાં નજીકના લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. હવે સિદ્ધાર્થ અને કિયારા લગ્ન બાદ દિલ્હી પરત ફર્યા છે. તે પહેલાં કિયારા એરપોર્ટ પર લગ્ન બાદના નવવધુના લુકમાં દેખાઇ હતી. સેંથામાં સિંદૂર અને ગળામાં સાદું મંગળસૂત્ર પહેરીને કિયારાની ખૂબ જ સુંદર લાગી રહી હતી. કિયારાનું સાદું દેખાતું મંગળસૂત્ર પણ કરોડો રૂપિયાનું છે.
- કિયારા અડવાણીએ જેસલમેર છોડતા પહેલા અને દિલ્હી પહોંચી ત્યારે પોતાનું સિમ્પલ મંગળસૂત્ર ફ્લોન્ટ કર્યું છે. રિપોર્ટ્સ અનુસાર કિયારાના મંગળસૂત્રની કિંમત લગભગ 2 કરોડ છે. રિપોર્ટ્સ અનુસાર, કિયારાનું મંગળસૂત્ર ડિઝાઈનર સબ્યસાચી મુખર્જીએ ડિઝાઈન કર્યું છે. કિયારાનું મંગળસૂત્ર એકદમ સિમ્પલ છે, જેમાં સોનેરી ચેનમાં કાળા મણકા અને વચ્ચે મોટો ડાયમંડ છે.
- કિયારા અડવાણીનો બ્રાઇડલ લૂક ચાહકોને ખૂબ ગમ્યો છે. આ સાથે તેની સોલિટેર ડાયમંડ રિંગે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તેની અંડાકાર આકારની ડાયમંડ રિંગ ખૂબ જ સુંદર દેખાતી હતી.
- રિપોર્ટ્સ અનુસાર, કિયારા અડવાણીની વેડિંગ રિંગની કિંમત પણ કરોડોમાં રૂપિયા છે. લગ્ન બાદ આ કપલ હાલ દિલ્હીમાં છે, જ્યાં પરિવાર અને મિત્રો માટે ભવ્ય રિસેપ્શન રાખવામાં આવ્યું છે. અત્યાર સુધી સામે આવેલી જાણકારી મુજબ કિયારા અને સિદ્ધાર્થ 12 ફેબ્રુઆરીએ મુંબઈમાં બોલીવુડના મિત્રો માટે ગ્રાન્ડ રિસેપ્શન આપવા જઈ રહ્યા છે.
- ઉલ્લેખનીય છે કે કિયારા અને સિધ્ધાર્થના લગ્ન ધામધૂમથી થયા હતા. આ પ્રસંગે ખાસ મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. લગ્ન માટે ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ કિયારા અડવાણીનો સ્પેશિયલ વેડિંગ ડે લહેંગાને ડિઝાઈન કર્યો હતો. રોઝ પિંક કલરથી લઈને તેના પર કરવામાં આવેલી સિલ્વર એમ્બ્રોઇડરીના કારણે તેના પર સૌનું ધ્યાન ગયું હતું. જેની સાથે કિયારાની સિમ્પલ મિનિમલ મેકઅપ અને સ્લીક હેરસ્ટાઇલ રાખી હતી. આ લુક આગામી લગ્ન સિઝનમાં નવવધૂઓ પણ ટ્રાય કરી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech