પુરાતત્વ સર્વેક્ષણના અધિકારીઓ 4 ઓગસ્ટ સુધીમાં રિપોર્ટ આપશે
વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદનું વૈજ્ઞાનિક સર્વે સોમવારથી શરૂ થયો છે . પુરાતત્વ સંસ્થાના વૈજ્ઞાનિક સર્વેની કામગીરી શરૂ કરી છે . જ્ઞાનવાપી વિવાદ સંવેદનશીલ મુદ્દો હોવાથી ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બનારસ કોર્ટ દ્વારા જ્ઞાનવાપી કેમ્પસના વૈજ્ઞાનિક સર્વેક્ષણનો આદેશ આપવામાં આવ્યો હતો. જો કે, કોર્ટે વજુ સ્થળ અને અન્ય સીલ કરેલ વિસ્તારોના સર્વેની પરવાનગી આપી નથી. કોર્ટે 21 જુલાઈના રોજ આ આદેશ આપ્યો હતો. એએસઆઈ એ 4 ઓગસ્ટ સુધીમાં સાયન્ટિફિક સર્વે રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.
સમગ્ર જ્ઞાનવાપી મસ્જિદ સંકુલનો એએસઆઈ (ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ) દ્વારા વૈજ્ઞાનિક સર્વે કરાવવાની માગણી કરતી અરજી હિન્દુ પક્ષ દ્વારા કરવામાં આવી હતી. હિન્દુ પક્ષ તરફથી વારાણસી કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં વિવાદિત વજુખાના વિસ્તાર સિવાય સમગ્ર જ્ઞાનવાપી કેમ્પસનો એએસઆઈ સર્વે કરાવે તેવી વિનંતી કરવામાં આવી હતી. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું કે, ASI સર્વેની અરજી 16મી મેના રોજ વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આપવામાં આવી હતી. વિષ્ણુ શંકર જૈને જણાવ્યું હતું કે ASI સર્વે અંગે દાખલ કરાયેલી અરજીની સુનાવણી 12 અને 14 જુલાઈએ થઈ હતી. 14 જુલાઈએ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ASI એ એકમાત્ર સંસ્થા છે જે જ્ઞાનવાપી વિશે સત્ય કહી શકે છે.
નોંધનીય છે કે કેટલીક મહિલાઓએ 5 ઓગસ્ટ 2021ના રોજ વારાણસી કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે તેમને જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં સ્થિત શૃંગાર ગૌરી મંદિર સહિત અનેક મૂર્તિઓમાં પૂજા કરવાની મંજૂરી આપવામાં આવે. આ અરજી પર કોર્ટે સર્વે કરવાની પરવાનગી આપી હતી. સર્વે બાદ હિન્દુ પક્ષે દાવો કર્યો હતો કે મસ્જિદના ભોંયરામાં શિવલિંગ છે.મુસ્લિમ પક્ષ તેને ફુવારો કહે છે. વજુખાનામાંથી પાણી ખેંચવામાં આવ્યું ત્યારે તેમાં શિવલિંગ જોવા મળ્યું. અલ્હાબાદ હાઈકોર્ટે શિવલિંગના કાર્બન ડેટિંગ અને વૈજ્ઞાનિક સર્વેનો આદેશ આપ્યો હતો. જો કે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહિલા મૂવી જોતી રહી અને ડોકટરોએ કરી મગજની સર્જરી
September 20, 2024 12:50 PMસરકારના ૫૪૩ ભ્રષ્ટ્રાચારી અધિકારી અને કર્મચારીઓ સામે કાર્યવાહીની મંજૂરી બાકી
September 20, 2024 12:49 PMદુષ્કર્મની ફરિયાદ કરવા આવેલી આર્મી ઓફિસરની મંગેતરને મારપિટ કરી પોલીસે આપી રેપની ધમકી
September 20, 2024 12:44 PMત્રિલોકપુરીમાં મોટી દુર્ઘટના ટળી, રસ્તાની વચ્ચોવચ કાર સમાઈ જાય એવડો મોટો ખાડો પડ્યો
September 20, 2024 12:44 PMબાંટવાના બોગસ લૂંટ મામલે 1.92 કરોડનો મુદ્દામાલ સોની વેપારીને સુપરત
September 20, 2024 12:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech