સૌરાષ્ટ્ર કચ્છના એક માત્ર વા- સંધિવાના ગોલ્ડ મેડાલિસ્ટ ડો. પ્રશાંત દુધાગરાની સારવાર ઘરઆંગણે

  • July 13, 2023 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર કચ્છના એક માત્ર વા- સંધિવાના ગોલ્ડ મેડાલિસ્ટ ડો. પ્રશાંત દુધાગરાની સારવાર ઘરઆંગણે

સૌરાષ્ટ્ર કચ્છના એક માત્ર વા- સંધિવાના ગોલ્ડ મેડાલિસ્ટ ડોકટરની સારવાર હવે જામનગરવાસીઓને ઘરઆંગણે મળવાની છે. કારણકે આ નિષ્ણાંત ડો. પ્રશાંત દુધાગરા દ્વારા આગામી શનિવારે જામનગરમાં ખાસ ઓપીડી યોજવામાં આવનાર છે.



ડૉ પ્રશાંત વા સંધિવા જેવા દર્દીની સારવાર માટેની સર્વોચ પદવી એટલે ડીએમ(રૂમેટોલોજી)માં સૌરાષ્ટ્રકચ્છના એકમાત્ર ગોલ્ડમેડાલિસ્ટ ડોકટર  હવે જામનગરમાં સેવા આપવાના છે. ડો. પ્રશાંત દુધાગરા એમડી, ડીએમ કન્સલ્ટન્ટ રૂમેટોલોજી એન્ડ ઇમ્યુનોલોજીસ્ટ દ્વારા જામનગરના કે. કે. વિમેન્સ એન્ડ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ, બીજો માળ, 201 -206, રાહુલ કોર્પોરેટ, ઢોસા હાઉસ સામે, ગ્રીન સીટી, રણજીત સાગર રોડ ખાતે આગામી તા.૧૫-૦૭-૨૦૨૩ શનિવારના રોજ સવારે ૯:૦૦ થી ૫.૦૦ દરમ્યાન ખાસ ઓપીડી યોજવામાં આવશે. પહેલેથી appointment લેવી જરૂરી છે અને આપને આપેલા નિર્ધારિત સમય પહેલા પહોંચી જવુ.


આ ઓપીડીમાં સંધિવા, એન્કીલોઝિંગ સ્પોન્ડિલિટીસ, એસએલઇ (લ્યુપસ), ગાઉટ (યુરિક એસિડ), ચીકન ગુનિયા, સોરીયાસીસ નો વા, બાળકોમાં થતા વા, સ્કલેરોડમાં જેવી બીમારીઓનું નિદાન તથા સારવાર ઉપરાંત હાથ પગના સાંધામાં સતત દુખાવો થવો અથવા સોજો રહેવો, ઉઠતી વખતે સાંધા જકડવા , હાડકા નબળા પડવા, કમરમાં લાંબા સમયથી દુખાવો રહેવો, ઠંડીમાં આંગળીના ટેરવા કાળા, ભૂરા કે સફેદ પડી જવા, વારંવાર બ્લડ ઘટી જવું, ચામડી ટાઈટ થવી વગેરે સમસ્યાઓનું નિદાન કરવામાં આવશે. ઓપીડીનો લાભ લેવા તથા નામ લખાવવા માટે મો. 81609 98756  પર સંપર્ક કરવો.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application