સિંધી સમાજના સત ગુરૂ સ્વામી ભગતપ્રકાશ મહારાજ સોમવારે જામનગરમાં

  • March 18, 2023 06:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિંધી સમાજના સતગુરુ  આચાર્ય સતગુરૂ ટેઉરામ મહારાજની અસીમ કૃપાથી સતગુરૂ સ્વામી ભગતપ્રકાશ મહારાજ તથા સંતમંડળ જામનગર ખાતે ર૦ માર્ચના રોજ સોમવારના રોજ પધારી રહ્યા છે, સવારે ૮.૩૦ વાગ્યે દિગ્જામ સર્કલ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે, ત્યારબાદ ૧૦ વાગ્યે હવન તથા ઘ્વજારોહણ શ્રી પ્રેમપ્રકાશ આશ્રમ, નાનકપુરી, જામનગર ખાતે રાખેલ છે અને સાંજે પ થી ૮ દરમ્યાન સત્સંગ, સ્વાગત અને આરતી સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે, તેમજ રાત્રે ૮.૩૦ વાગ્યે મહાપ્રસાદ, ભંડારાનું આયોજન સદ્દગુરૂ સ્વામી ટેઉરામ ચોક (ચકરો), નાનકપુરી, જામનગર ખાતે કરવામાં આવ્યું છે, તો તેનો લાભ લેવા તમામ ભક્તજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application