aajkaal@team
સિહોરના સણોસરા ગામે રહેતા આધેડ એ લીધેલા રૂપિયા ૧૦,૦૦૦ નું રૂપિયા ૨૦ લાખ વ્યાજ ગણી ઉઘરાણી કરી અલગ અલગ 10 શખ્સો દ્વારા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી શારીરિક માનસિક ત્રાસ આધેડને આપતા આધેડે પોતાની જાતે ઝેરી દવા ગટગટાવી લેતા ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે સોનગઢ પોલીસમાં ફરિયાદ નોંધાય હતી
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સિહોરના સનોસરા ગામે રહેતા મનસુખભાઈ શંભુભાઈ ડાભીએ સિહોર પોલીસ મથકમા એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી.
મનસુખભાઈએ તેના ગામના હિપાભાઇ ભોળાભાઇ જોટાણા પાસેથી લીધેલ રૂ.૧૦,૦૦૦ નુ હિપાભાઇએ વ્યાજ સાથે કુલ રૂ વીસ લાખની મનસુખભાઈ પાસે ઊઘરાણી કરતા આ રૂપીયા વ્યાજ સાથે ચુકવવા મનસુખભાઈએ વિરલભાઈ રબારી તથા હરેશભાઇ રબારી તથા ગોપલભાઇ ગોવિંદભાઇ જોટાણા તેમજ કરશનભાઇ ચૈાહાણ તેમજ મુન્નાભાઇ રબારી સાઇકલ વાળા તથા મુકેશભાઇ સાર્દુળભાઇ સાંબડ તથા અશોકભાઇ રાણાભાઇ સાંબડ તથા પરેશભ ઇ ગીધાભાઇ તેમજ બીપીનભાઈ રબારી રહે તમામ સણોસરા વાળાઓ પાસેથી અલગ અલગ સમયે કટકે કટકે ઉંચા વ્યાજે રૂપીયા લીધેલ હોય જે રૂપીયાની આ તમામ મનસુખભાઈ પાસે પઠાણી ઉધરાણી કરતા હોય અને હીપાભાઇએ મનસુખભાઈને તેના ઘરે બોલાવી મનસુખભાઈને લાફો મારી મનસુખભાઈ પાસે તેના દાદા વખતનું સોનાનુ બિસ્કીટ આશરે ૧૦૦ ગ્રામ વજનનુ વેચાણ કરાવી તે રૂપીયા કઢાવી લઇ અને મનસુખભાઈ, ગામમા નિકળે ત્યારે ઉપરોક્ત તમામ શખ્સોએ મનસુખભાઈ ને જયા મળે ત્યા રૂપીયાની વ્યાજ સાથે પઠાણી ઊઘરાણી કરી શારીરીક માનસીક ત્રાસ આપી હોવાની ફરિયાદ નોધાઇ હતી શારીરીક માનસીક કંટાળી મનસુખભાઈએ પોતાના ઘરે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા ગભિર્ હાલતે ભાવનગરની ખાનગી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech