ઘેલા સોમનાથ નજીક રિવરફ્રન્ટ બનાવાશે: કલેકટર તંત્રનો નિર્ણય

  • May 02, 2023 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મુખ્યમંત્રીએ ફાળવ ેલી રૂપિયા 10 કરોડની ગ્રાન્ટમાંથી વિકાસના અનેક કામો હાથ ધરાશે




ઐતિહાસિક રીતે ભારે મહત્વ ધરાવતા જસદણ તાલુકાના ઘેલા સોમનાથ મહાદેવ મંદિરની તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મુલાકાત લીધી ત્યારે અહીં વિકાસ કામો માટે રૂપિયા 10 કરોડ ફાળવવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી દ્વારા ફાળવવામાં આવેલી આ રકમમાંથી મંદિર નજીક રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ હાથ ધરવાનો નિર્ણય જિલ્લા કલેકટર તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.


મંદિરમાં યાંત્રિક પદ્ધતિથી ધ્વજારોહણ થઇ શકે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી રહી છે. આ ઉપરાંત રહેવા માટેની અલગથી વધારાની વ્યવસ્થા કરવામાં આવશે. મંદિરના પરિસરના વિકાસ માટે પણ અનેક મહત્વના કામ હાથ ધરવામાં આવનાર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application