ગૃહિણીઓ માટે રાહતના સમાચાર : સીંગતેલના ભાવમાં સતત ઘટાડો, તહેવારમાં લોકો ફરસાણનો માણી શકશે આનંદ

  • September 01, 2023 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તહેવારો નજીક આવતાની સાથે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ખાદ્ય તેલમાં તેજી આવી હોય તે રીતે ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 


જન્માષ્ટમીના તહેવાર પહેલા સિંગતેલના ડબ્બામાં છેલ્લા ત્રણ દિવસથી રૂપિયા 60નો ઘટાડો નોંધાયું છે. સીંગતેલના ડબ્બાનો ભાવ ₹3,000ને પાર પહોંચી ગયો હતો. પરંતુ ભાવ ઘટાડાને લઈને ગૃહિણીઓને આંશિક રાહત મળી છે. અત્યારના ભાવની વાત કરીએ, તો સિંગતેલના ડબ્બા નો ભાવ ₹2,910 થી 2960 સુધી બોલાઈ રહ્યો છે. 


છેલ્લા કેટલાય સમયથી સિંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો. ત્યારે હવે સીંગતેલમાં તેજી આવતા ભાવ ઘટાડો થતાં તહેવારમાં લોકો ફરસાણ ખાવાનો આનંદ માણી શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application