રાજકોટમાં રસરંગ લોકમેળાનો પ્રારંભ : 1000થી વધુ પોલીસ જવાનો તૈનાત, CCTV કેમેરા સહિત 16 જેટલા વોચ ટાવર ગોઠવાયા

  • September 05, 2023 01:38 PM 


રાજકોટમાં આજથી રસરંગ લોકમેળાનો પ્રારંભ થશે. મંત્રી મુળુ બેરાના હસ્તે મેળાનું ઉદઘાટન કરવામાં આવશે. આ સાથે મેળામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. જેમાં ડીસીપી, એસીપી, પીઆઇ, પીએસઆઇ સહિત 1 હજારથી વધુ જવાનો તૈનાત રહેશે. આ સાથે જ સીસીટીવી કેમેરા સહિત 16 જેટલા વોચ ટાવર રાખવામાં આવ્યા છે. ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડ પણ ખડેપગે રહેશે. આ સાથે જ પાકીટ કે મોબાઈલ ચોર અને મહિલાઓની છેડતી કરનાર પર પણ વિશેષ નજર રાખવામાં આવશે. આજે ડીસીપી સહિતના મેળાની મુલાકાતે પહોંચ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application