ભાણવડની સગીરાનું અપરણ કરી દુષ્કર્મ

  • January 05, 2023 06:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડ પંથકમાં રહેતી આશરે ૧૫ વર્ષની એક સગીરાનું અપરહણ કરી અને દુષ્કર્મ આચરવા સબબ ભાણવડમાં જ રહેતા એક શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.


આ અંગે સગીરાના માતાએ ભાણવડ પોલીસમાં નોંધાવેલી વિગત મુજબ પોતાની ૧૪ વર્ષ ૯ માસની વયની સગીર પુત્રીને ભાણવડના ચમારવાસ વિસ્તારમાં રહેતા કિરીટ હીરાભાઈ સોલંકી નામના શખ્સ દ્વારા બદકામ કરવાના ઇરાદે ગત તારીખ ૨૫ ડિસેમ્બરના રોજ સવારના સમયે અપહરણ કરીને લઈ ગયા બાદ આંબરડી ગામની સીમ વિસ્તારમાં સગીરાને મારી નાખવાની ધમકી આપીને તેણીની ઈચ્છા વિરુદ્ધ સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.


આમ, આશરે પોણા ૧૫ વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવા સબબ સગીરાના માતાની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે કિરીટ હીરાભાઈ સોલંકી સામે આઈ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, ૩૫૪ (ઘ), ૩૭૬, ૫૦૬ (૨) તથા પોક્સો એક્ટ વિગેરે મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એચ.એસ. ચાવડા દ્વારા હાથ ધરવામાં આવી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application