પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-પોરબંદર સમર સ્પેશિયલ ટ્રેન ના ફેરા લંબાવવામાં આવ્યા

  • July 01, 2023 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ રાજકોટ-પોરબંદર અને પોરબંદર-રાજકોટ સમર સ્પેશિયલ ટ્રેનો ના ફેરા સમાન રચના, સમય અને રૂટ પર લંબાવવાનો નિર્ણય લીધો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 09595/09596 રાજકોટ-પોરબંદર-રાજકોટ સમર સ્પેશિયલ ટ્રેન (અઠવાડિયામાં 6 દિવસ મંગળવાર સિવાય) જે અગાઉ 30 જૂન, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 30 સપ્ટેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application