રાજકોટમાં ૧૫૦ ફટ રિંગરોડ પર આંબેડકરનગર શેરી નં.૫માં મનિષા સાગર પરમાર નામની પરિણીતાએ પતિ સાગર ગોવિંદભાઈ પરમારના અસહ્ય સિતમથી ત્રાસી જઈ બે માસૂમ સંતાન પુત્ર ભાર્ગવ ઉ.વ.૩ તથા પુત્રી ઈશિતા ઉ.વ.૬ માસની હત્યા કરી પોતે પણ ફાંસો ખાઈ આપઘાત કરી લીધાની ઘટનાથી અરેરાટી મચી જવા પામી છે. મહિલાએ આવું આત્યાંતિક પગલું ભરતા પૂર્વે એક વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યેા હતો જેના પગલે માલવીયાનગર પોલીસે મૃતક મહિલા સામે બન્ને બાળકોની હત્યા કરવાની તેમજ પતિ સાગર સામે પત્નીને બન્ને બાળકોની હત્યા કરવા મજબુર કરી પોતે પણ જિંદગી ટૂંકાવી નાખે એ હદ સુધી ત્રાસ ગુજારી આપઘાતની ફરજ પાડવાના આરોપસર મૃતકના ભાઈ ગીરીશ પરસોતમભાઈ સોમૈયા રહે.કણકોટ ગામ પાટિયાએ હા.બોર્ડ કવાર્ટરની માલવિયાનગર પોલીસ ફરિયાદ નોંધી છે.
આંબેડકરનગરમાં મહિલાએ આપઘાત કર્યાની જાણ થતાં માલવિયાનગર પોલીસ દનોડી ગઈ હતી. મહિલાનો પંખા સાથે ચૂંદડી બાંધેલી હાલતમાં ફાંસો ખાધેલા મૃતદેહ લટકતો હતો. રૂમમાં જ બે માસૂમ બાળકોના નિષ્પ્રાણ દેહ પણ પડયા હતા. પીઆઈ એ.બી.જાડેજા, પીએસઆઈ મોહન મહેશ્ર્વરી સહિતના સ્ટાફે તપાસ આરંભી હતી. પોલીસને એવી વિગતો મળી હતી કે મહિલાએ પતિના ત્રાસથી આવું પગલું ભરી લીધું છે.
બનાવના પગલે મૃતકના ભાઈ અને પીપરિયાઓ પણ દોડી આવ્યા હતા. પતિ સાગરને કારણે મહિલાએ બન્ને બાળકોની જિંદગી ટૂંકાવી પોતે પણ આપઘાત કરી લીધાનું બહાર આવ્યું હતું.
બન્ને બાળકોને ફાંસો આપ્યો હતો કે કોઈ ઝેરી દવા પાઈને મહિલાએ હત્યા કરી હતી? તે જાણવા માટે બન્ને બાળકો તથા મહિલાના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. એ પૂર્વે જ રાત્રે પોલીસને આપઘાત પૂર્વે મહિલાએ પોતે બનાવેલો વીડિયો વાયરલ થયો હતો. જેમાં મહિલા એવા શબ્દોચ્ચાર કરતી હતી કે હું મરી જાવ છું જવાબદાર પતિ સાગર પરમાર છે. મારા બન્ને છોકરાને પર એસિડ આપીને મારી નાખુ છું આ રહ્યા બન્ને દેહ કહીને બન્ને બાળકોને પણ પલગં પર સૂતેલી હાલતમાં વીડિયોમાં બતાવ્યા તા. પતિ સાગર બધી છોકરીઓને મારે છે હેરાન કરે છે પૈસા પડાવે છે. સાંઈબાબા ચોકમાં સરકારી દવાખાના ઉપર રહે છે એ જવાબદાર છે. મારા મમ્મી–પપ્પા કે કોઈ જવાબદાર નથી. અમારે છુંટુ કરવાનું હતું. માલવિયાવાળાએ છુટુ ન કરવા દીધું સમજાવીને મોકલી દીધા હતા. બન્ને બાળકોને મારી નાખ્યા છે. આવા શબ્દો સાથે પતિનો ત્રાસ હોવાના વીડિયોમાં ઉચ્ચારણો કર્યા હતા.
વીડિયોના આધારે તેમજ મૃતક મનિષાબહેનના પીયર પક્ષના લોકોએ પણ પોલીસ સમક્ષ વર્ણવેલી વાતને લઈને માલવિયાનગર પોલીસે મૃતક મનિષાના ભાઈ ગિરીશની ફરિયાદ આધારે બનેવી સાગર ગોવિંદભાઈ પરમાર સામે બહેનને શારીરિક માનસિક ત્રાસ આપી મોત માટે મજબુર કર્યાના આરોપસર ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આરોપી સાગરની ધરપકડ કરી તજવીજ આરંભી છે.
મૃતક મહિલાના ભાઈ ગિરીશે કરેલા આક્ષેપોમાં છેલ્લા એકાદ વર્ષથી બહેનને અસહ્ય ત્રાસ અપાતો હતો. સાગર મારકૂટ કરતો હતો. જેથી બહેને ત્રાસીને આવું પગલું ભરી લીધું. મહિલાના લ છ વર્ષ પૂર્વે થયા હતા. પતિ સાગરનો ભાઈ હિરેન હત્યાના ગુનામાં જેલમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.
એક સાહ પહેલા જ મનિષાએ પિયરિયાને કહેલું કે હવે મારાથી સહન થતું નથી, હત્પં કદાચ મરી જઈશ
આંબેડકરનગરમાં ગતરાત્રે બનેલી અરેરાટીભરી ઘટનામાં ગઈકાલે આપઘાતના એક સાહ પહેલા જ મનિષા તેના પિયર કણકોટ પાટિયા પાસે ગઈ હતી ત્યાં ભાઈ સહિતનાને કહેલું કે પતિ સાગરનો ત્રાસ બહું વધી ગયો છે. હવે મારાથી સહન થતું નથી, હું કદાચ મરી જઈશ. જો કે, ભાઈ સહિતનાએ બન્ને બાળકો નાના છે, આવું ન વિચારાય, બધુ સારૂ થઈ જશે કહી સમજાવી હતી અને પરત મોકલી હતી. ગઈકાલે રાત્રે મનિષાના ફૈબાના પુત્ર જંગલેશ્ર્વર વિસ્તારમાં રહેતા અશોક સિંઘવે બનાવથી અજાણ પીયરિયાઓ મનિષાના ભાઈ ગિરીશને ફોન કરીને જાણ કરતા ગિરીશ સહિતના રાત્રે મનિષાના ઘરે દોડી આવ્યા હતા.
વાયરલ વીડિયોના આધારે ખ્યાલ પડયો કે મહિલાએ બન્ને બાળકોની હત્યા કરી જીવ દીધો
આત્યાંતિક પગલું ભરતા પૂર્વે મહિલાએ એક વીડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં રાત્રે પોસ્ટ કર્યેા હતો. જેમાં પોતે બન્ને બાળકોને મારીને આપઘાત કરી લે છે આવુ બોલતી હતી. આ વીડિયો આસપાસના રહેવાસી કોઈએ સોશિયલ મીડિયામાં જોતા તુરતં જ પોલીસને જાણ કરી હતી. બધં મકાનના દરવાજા ખોલીને અંદર જતાં બન્ને માસૂમ બાળકોના નિષ્પ્રાણ દેહ પડયા હતા અને મહિલા ફાંસો ખાધેલી હાલતમાં લટકતી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech