ચંદીગઢ મેયરની ચૂંટણીમાં રિટર્નિંગ ઓફિસર દ્વારા મતપત્રોમાં છેડછાડના આરોપો સામે આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. આ મામલે આજે (5 ફેબ્રુઆરી) સુનાવણી થઈ છે. ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ગોટાળાના આરોપો પર સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. મેયર ચૂંટણીનો વીડિયો જોયા બાદ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા CJI DY ચંદ્રચુડે કહ્યું કે અધિકારી બેલેટ પેપર સાથે કેવી રીતે છેડછાડ કરી શકે? આ માટે તેની સામે કાર્યવાહી થવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો જરૂર પડશે તો નવેસરથી ચૂંટણી કરાવવામાં આવશે. આ સાથે સુપ્રીમ કોર્ટે બેલેટ પેપર અને વોટિંગનો વીડિયો હાઈકોર્ટને સોંપવાનો આદેશ આપ્યો હતો. આ મામલે આગામી સપ્તાહે ફરી સુનાવણી થશે. ચંદીગઢ મેયરની ચૂંટણીમાં કોંગ્રેસ અને AAPના સંયુક્ત ઉમેદવાર રહેલા કુલદીપ કુમારે અરજી દાખલ કરી છે. તેમણે કહ્યું છે કે ચૂંટણીમાં પ્રિસાઇડિંગ ઓફિસરે છેડછાડ કરી અને આ કારણે તેઓ હારી ગયા.
અરજીમાં કુલદીપ કુમારે એમ પણ કહ્યું છે કે તેમણે નવી ચૂંટણી માટે હાઈકોર્ટમાં અરજી કરી છે, પરંતુ હાઈકોર્ટે કોઈ વચગાળાનો આદેશ આપવાનો ઈન્કાર કર્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે 3 અઠવાડિયા પછી સુનાવણી હાથ ધરવામાં આવશે. ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ભાજપે જીત મેળવી હતી. મતગણતરી દરમિયાન 8 મત અમાન્ય જાહેર થયા હતા. આ કારણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંયુક્ત ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો હતો.
મેયરની ચૂંટણી જીતીને ભાજપે ત્રણેય પદો પર પોતાની પકડ જાળવી રાખી છે. ચંદીગઢ મેયરની ચૂંટણીને કોંગ્રેસ-આપ ગઠબંધન માટે એક મોટો ફટકો માનવામાં આવે છે, કારણ કે બંને પક્ષોના સંયુક્ત મત બહુમતીમાં હતા. AAP અને કોંગ્રેસે પ્રિસાઇડિંગ ઓફિસર પર બેલેટ પેપર સાથે ચેડા કરવાનો આરોપ લગાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech