સુભાષપાર્ક પાસે એક લાખની રોકડ સાથેના પર્સની ઉઠાંતરી

  • February 01, 2023 11:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના રણજીતસાગર રોડ પર આવેલ સુભાષપાર્ક પાસે અનાજ કરીયાણાની દુકાનનો વકરો ભરેલું પર્સ હુંકમાં ટીંગાળ્યુ હતું અને દુકાન બંધ કરીને ચાલ્યા ગયા હતા, ભુલાઇ ગયેલ પર્સ લેવા આવતા જોવા મળ્યુ ન હતું અને કોઇ ઉઠાંતરી કરી ગયાનું સામે આવતા પોલીસમાં ફરીયાદ કરવામાં આવી છે.


જામનગરના રણજીતસાગર રોડ મયુરટાઉનશીપ પાછળ નિલકંઠપાર્ક પ્લોટ નં. ૩૭/એચ ખાતે રહેતા વેપારી જીજ્ઞેશ ભુપેન્દ્રભાઇ કોટેચાએ ગઇકાલે સીટી-એમાં અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરીયાદ નોંધાવી હતી.


ત્રણ દિવસ પહેલા જીજ્ઞેશભાઇ સુભાષપાર્ક મેઇન રોડ પર આવેલ જલારામ વસ્તુ ભંડાર નામની દુકાનમાં થયેલ વકરો બ્લુ કલરના પર્સમાં રૂ. ૧.૦૭ લાખ રાખ્યા હતા અને દુકાન બંધ કરતી વખતે બહાર દુકાનના હુંકમાં પર્સ ટીંગાળી દુકાન બંધ કરી નીકળી ગયા હતા.


અને રોકડ રકમ ભરેલ પર્સ ભુલી ગયા હતા, ત્યારબાદ તેમને યાદ આવતા ફરીથી પરત આવતા પર્સ જોવા મળેલ નહીં આ પર્સ કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરીને લઇ ગયાનું ઘ્યાને આવતા આ મામલે તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો.


ફરીયાદના આધારે સીટી-એ પોલીસે આજુબાજુના સીસી ફુટેજ ચેક કરવા સહિતની તપાસ લંબાવી છે અને આજુબાજુના વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application