અગ્ર સચિવ અશ્વિનીકુમાર રાજકોટમાં, મનપા કચેરીએ બેઠક યોજાઇ

  • June 29, 2023 01:49 PM 


રાજકોટમાં રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર પહોંચ્યા. ગૃહ નિર્માણ વિભાગના ગાંધીનગરના 20થી વધુ અધિકારીઓ પણ મનપા કચેરીએ પહોંચ્યા. રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજાઇ હતી. જામનગરની ઘટના બાદ શહેરી ગૃહ નિર્માણ વિભાગ સફાળું જાગ્યું છે. 

રાજકોટમાં અલગ અલગ જર્જરીત આવાસને લઈને ચર્ચા કરવામાં આવશે. સ્માર્ટ સિટી અને અલગ અલગ પ્રોજેક્ટને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. રાજકોટ શહેરમાં પણ ગોકુલધામ સહિત અનેક આવાસો જર્જરીત હાલતમાં છે. સ્માર્ટ સિટી, અટલ સરોવર, અમૃત મિશન, ગતિ શકતી પ્રોજેક્ટ, અર્બન ગ્રીન ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ, મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના, ગુજરાત હાઉસિંગ બોર્ડ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, NUML, ટીપી સ્કીમ, પ્રીમોન્સુંન કામગીરી અને પ્લાનિંગ, રાજકોટ રીંગરોડ ડેવલોપમેન્ટ સહિતના વિભાગના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી કામગીરીનો તાગ મેળવવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application