મોટા લખિયામાં રામદેવજી મહારાજના જન્મોત્સવ નિમિત્તે તડામાર તૈયારીઓ

  • September 18, 2023 10:46 AM 

જામનગરના મોટા લખિયામાં આગામી 24 અને 25 તારીખે રામદેવજી મહારાજનો જન્મોત્સવ ઉજવવામાં આવશે.. જેને લઈને મોટા લખિયામાં તૈયારી શરૂ થઈ ગઈ છે. રામદેવજી મહારાજના જન્મોત્સવને લઈને મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું છે ત્યારે આ જન્મોત્સવના કાર્યક્રમમાં પધારવા માટે શ્રી રામદેવપીર ધામ દ્વારા ભાવિક ભક્તોને ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે.

આગામી 24 તારીખને રવિવારે સવારે સાડા 9 વાગ્યે નેજા ફરકશે... જે બાદ 24 તારીખને સોમવારે 9 વાગ્યે મેળાનું ઉદઘાટન કરવામાં આવશે..  આ મેળાનું આયોજન સમસ્ત મોટા લખિયા ગામ અને શ્રી રામદેવપીર ધામ દ્વારા કરવામાં આવ્યું છે..  ત્યારે આ કાર્યક્રમ દ્વારા ગામવાસીઓને પધારવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે..

આ સાથે જ 25 તારીખે સવારે 9 વાગ્યે કિર્તન મંડળીનું પણ આયોજન કરવામાં આવ્યું છે..  આ સમગ્ર આયોજન મોટાલખિયાના ક્રિકેટ ગ્રાઉન્ડ રામદેવપીર ધામમાં કરવામાં આવ્યું છે.. ત્યારે શ્રી જય રામદેવજી મહારાજ જન્મ ઉત્સવ નિમિતે સર્વ ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનોને પધારવા માટે ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application