આસામમાં સોમવારે પૂરની સ્થિતિ ગંભીર રહી હતી અને 28 જિલ્લાઓમાં લગભગ 23 લાખની વસ્તી પ્રભાવિત થઈ છે. મોટાભાગની નદીઓના જળસ્તર ખતરાના નિશાનથી ઉપર છે. આ વર્ષે રાજ્યમાં પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડામાં 78 લોકોના મોત થયા છે જ્યારે માત્ર પૂરને કારણે 66 લોકોના મોત થયા છે.
આસામમાં પૂરની સ્થિતિ 8 જુલાઈ, સોમવારે પણ ગંભીર રહી હતી અને 28 જિલ્લાઓની લગભગ 23 લાખ વસ્તી આ પૂરથી પ્રભાવિત થયા છે. રાજ્યની મોટાભાગની નદીઓના જળસ્તર ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યા છે. ત્યારે પૂરના કારણે 68432.75 હેક્ટર પાક જમીન ડૂબી ગઈ છે. 315520 લોકોને રાહત સામગ્રી આપવામાં આવી છે.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે પૂર પ્રભાવિત જિલ્લાઓમાં તમામ રાહત શિબિરોમાં સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો સ્ટોક રાખવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે પૂર રાહત શિબિરોની સલામતી અને સ્વચ્છતા એ સરકારની પ્રાથમિકતા છે અને તેમની ટીમ ત્યાં રહેતા લોકોના સંપર્કમાં છે.
3,446 ગામોના 23 લાખ લોકો પૂરથી પ્રભાવિત
હાલમાં 28 જિલ્લાના 3,446 ગામોના 23 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે, જ્યારે 68,432.75 હેક્ટર પાકની જમીન પાણીના પૂરમાં ડૂબી ગઈ છે. કુલ 53,689 લોકોએ 269 રાહત શિબિરોમાં આશ્રય લીધો છે, જ્યારે 3,15,520 લોકોને રાહત કેમ્પમાં ન રહેતાં રાહત સામગ્રી પૂરી પાડવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝુલેલાલ નગર સહિતના વિસ્તારમાં ધારાસભ્ય ડો.દર્શિતા શાહના હસ્તે વિકાસકામોનો પ્રારંભ
March 11, 2025 12:05 PMહોલીવુડ અભિનેતા સિમોન ફિશર-બેકરનું નિધન
March 11, 2025 11:56 AMઐશ્વર્યા રાયને હેમા માલિની-જયા બચ્ચન બનવાની નેમ
March 11, 2025 11:55 AMજોન અબ્રાહમની 'ડિપ્લોમેટ'માં એક ખાસ ડિસ્ક્લેમર ઉમેરાશે
March 11, 2025 11:53 AMઅનુરાગ કશ્યપ કન્નડ ફિલ્મ '8' થી અભિનય ડેબ્યુ કરશે
March 11, 2025 11:51 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech