દ્વારકા જિલ્લાના મીઠાપુરના આરંભડા ગામના પ્રેમી પંખીડાએ ઘરેથી સજોડે નીકળી જઈ રાજકોટના ખંઢેરી નજીક ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી લીધાનો બનાવ રાજકોટ રેલવે પોલીસ સ્ટેશન દફતરે નોંધાયો છે.
રાજકોટ નજીક જામનગર હાઈવે પર ખંઢેરી નજીક બપોરના ત્રણેક વાગ્યા બાદ પસાર થતી સૌરાષ્ટ્ર મેલ હેઠળ યુવક-યુવતીએ પડતું મુકી દીધાની અને બન્નેના કપાયેલા મૃતદેહ પડયા હોવાની રાજકોટ રેલવે પોલસી મથકે જાણ થતા પીઆઈ ઓ.બી.અંસારી તથા રાઈટર મેહલભાઈ ચુડાસમા સહિતના દોડી ગયા હતા.
રેલવે ટ્રેક નજીકથી એક બાઈક પણ રેઢુ મળી આવ્યું હતું. બન્ને અજાણ્યા મૃતદેહ હતા. પોલીસે તપાસ કરતા મૃતક યુવકના ખિસ્સામાંથી આધાર કાર્ડ મળી આવ્યું હતું. જેમાં મીઠાપુર આરંભડાનું એડ્રેસ હોવાથી મીઠાપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. દરમિયાનમાં યુવતી સવારથી ઘરેથી લાપતા હોય યુવતીના માતા-પિતા મીઠાપુર પોલસી મથકે પહોંચ્યા હતા. મીઠાપુર પોલીસે રાજકોટ રેલવે પોલીસનો સંપર્ક કરી ત્યાંથક્ષ આવેલા ફોટોગ્રાફસ બતાવતા લાશ યુવતીના માતા-પિતાએ ઓળખી બતાવી હતી. આરંભડા ગામે રહેતા માણસીભાઈ મોરભા ડેર વાઢેરે લાશ પુત્રી સુમીબેન ઉ.વ.19ની હોવાનું જણાવ્યું હતું.
જયારે સાથે રહેલા યુવક મહેન્દ્રસિંહ ઈશ્ર્વરસિંહ વાઘેલા ઉ.વ.22નો મૃતદેહ હોવાનું આદાર કાર્ડ પરથી ઓળખ મેળવી હતી. બન્નેના પરિવારજનો રાજકોટ દોડી આવ્યા હતા. લાશને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હતા. ગઈકાલે સવારે બન્ને સજોડે બાઈક પર ઘરેથી નીકળી ગયા હતા. બપોરે રાજકોટ નજીક ખંઢેરી
પાસે આવીને ટ્રેન નીચે ઝંપલાવી અંતિમ પગલું ભરી લીધું હતું. યુવતીની સાત માસ પહેલા સગાઈ થઈ ગઈ હતી. ચાર બહેન એક ભાઈમાં નાની હતી.
જયારે યુવક બે ભાઈ બે બહેનમાં નાનો હતો. પિતા ઓખામાં કંપ્નીમાં નોકરી કરે છે. તે પણ કંપ્નીમાં નોકરી કરતો હતો. બન્ને વચ્ચે પ્રેમ હોવાથી અને યુવતીની અન્યત્ર સગાઈ થઈ ગઈ હોય બન્નેના લગ્ન માટે પરિવાર સહમત નહીં બને તેવા વિચારે બન્નેએ સજોડે અનંતની વાઠ પકડી લીધી હોઈ શકે તેવી આશંકા સેવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીજીપી વિકાસ સહાય દ્વારા ત્રણ PIને ફરજિયાત નિવૃત્તિનો આદેશ...જાણી લો કારણ
July 04, 2024 11:53 PMઆસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત, અરુણાચલમાં પણ 16 લાખથી વધુ અસરગ્રસ્ત
July 04, 2024 11:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech