ચંદ્રયાન ૩ લેન્ડ ન થઈ શકે તો ઈસરોનો પ્લાન બી તૈયાર

  • August 08, 2023 02:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૨૩ ઓગસ્ટે યાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરશે




ઈસરોના અધ્યક્ષ સોમનાથ એ જાહેરાત કરી હતી કે ચન્દ્રયાન તેની નિર્ધારીત ગતી એ આગળ વધી રહ્યું છે અને બધું જ આપણી ગણતરી મુજબ ચાલી જ રહ્યું છે. ચન્દ્રયાન એકદમ સુરક્ષિત છે તેમ છતાં જો ચન્દ્રયાનને ચન્દ્ર પર ઉતારવામાં કોઈ દિક્કત આવશે તો અમારી પાસે પ્લાન બી તૈયાર જ છે.





ચન્દ્રયાન પોતાની મંઝીલ પર પહોચાવા ઓર્બીટ માં નિર્ધારિત ગતી એ આગળ વધી રહ્યું છે, ઈસરો એ આશા વ્યકત કરી છે કે ૨૩ ઓગસ્ટ સુધી માં ચન્દ્રયાન ચન્દ્ર પર ઉતરાણ કરી જ લેશે.હવે ચન્દ્રયાન ૩ ૧૯૦૦ કિમી પ્રતિ સેકડં ની ગતી એ ચન્દ્રની ચારે તરફ યાત્રા કરી રહ્યું છે. ઓર્બીટ માં પહોચી ગયા પ્ચું ચન્દ્રયાનએ ચન્દ્રની અમુક યાદગાર તસવીરો મોકલી છે, જેના પરથી લાગે છે કે તે બાબર કામ કરી જ રહ્યું છે. તેમ છતાં જો ચન્દ્ર પર લેન્ડ કરતી વખતે કોઈ પ્રોબ્લેમ નડે તો અમારી પાસે પ્લાન બી પણ તૈયાર જ છે.




ઈસરો ના અધ્યક્ષ સોમનાથ એ જણાવ્યું હતું કે જે રીતે અત્યારે ચન્દ્રયાન કામ કરી રહ્યું છે તેના પર થી લાગે છે કે ચન્દ્રયાન અમારી યોજના મુજબની જગ્યા એ જ લેન્ડ કરશે, પરંતુ છેલી ઘડી એ કોઈ તકલીફ ઉત્પન્ન થાય તો વૈલ્કપીક લેન્ડીંગ ની અમારી તૈયારી છે જ. તેમને ઉમેયુ હતું ક ચન્દ્રની ચારે તરફ ગતિ કરતા ચન્દ્રયાન ની ગતિ અમે હવે ઓછી કરી નાખી છે. જેથી તે ૨૩ ઓગસ્ટના રોજ ૫.૪૭ કલાકે ચન્દ્રના દક્ષીણ ધ્રુવ પર સોફટ લેન્ડ કરી શકે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application