જામનગરમાં વિદ્યાર્થીઓ માટે સરકારી પોલિટેકનિક દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાશે

  • May 13, 2024 05:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં વિદ્યાર્થીઓ માટે સરકારી પોલિટેકનિક દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાશે

જામનગર તા.13 મે, જામનગરમાં ધોરણ 10 બાદ ડિપ્લોમા ઈજનેરી અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા વિષે સંપૂર્ણ માહિતી અને ડિપ્લોમા ઈજનેરી ક્ષેત્રના વિવિધ અભ્યાસક્રમો વિષે જાણકારી મળી રહે તે હેતુથી કારકિર્દી માર્ગદર્શન વિષય આધારિત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 15/05/2024 ના રોજ સવારે 11:00 કલાકથી 01:30 કલાક દરમિયાન સેમિનાર હોલ, ન્યુ બિલ્ડીંગ, સરકારી પોલિટેકનિક, વાલસુરા રોડ, જામનગર ખાતે યોજાશે. 

કારકિર્દી સેમિનારમાં વિવિધ તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. ઉક્ત સેમિનારમાં જામનગરના મહત્તમ વિદ્યાર્થીઓ સંમિલિત બને અને કરિયર વિષે માર્ગદર્શન મેળવે તેમ આચાર્યશ્રી, સરકારી પોલિટેકનિક, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application