આજરોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહીત કેટલીક મોટી હસ્તીઓને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. હાલ નોઈડા પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
પોલીસ સ્ટેશને એક ન્યૂઝ ચેનલના અધિકારીએ રિપોર્ટ નોંધાવ્યો છે કે અજાણ્યા બદમાશોએ તેમની કંપનીના ચીફ ફાયનાન્સ ઓફિસરને ઈ-મેલ મોકલ્યો હતો અને ઈ-મેલ દ્વારા દેશના વડાપ્રધાન અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સહિત અનેક મહત્વના લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
પોલીસે ફરિયાદ નોંઘી તપાસ હાથ ધરી છે. નોઈડા પોલીસને આ કેસમાં મહત્વની કડીઓ મળી છે. પોલીસ અધિકારીઓએ દાવો કર્યો છે કે આ મામલે ટૂંક સમયમાં જ ખુલાસો કરવામાં આવશે. પોલીસે કસ્ટડીમાં કેટલાક લોકોની પૂછપરછ શરૂ કરી છે. આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ પોલીસ રજનીશ વર્માએ જણાવ્યું કે સેક્ટર 16-એ સ્થિત એક ચેનલના મેનેજર વિજય કુમારે પોલીસને ફરિયાદ કરતા જણાવ્યું કે તેમની કંપનીના સીએફઓ કુશન ચક્રવર્તીને ઈ-મેલ મોકલીને અજાણ્યા બદમાશોએ દેશના વડાપ્રધાન સહિત અનેક મહત્વના લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.
દાવો કરવામાં આવ્યો છે કે પોલીસ આ મામલાની ખૂબ જ નજીક પહોંચી ગઈ છે, ટૂંક સમયમાં જ તેનો ખુલાસો કરવામાં આવશે. પોલીસને શંકા છે કે કોઈ સાયકો વ્યક્તિએ આવો મેઈલ કર્યો છે. પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને મામલાની તપાસ કરી રહી છે. આ મામલે પોલીસની ત્રણ ટીમો ગોઠવવામાં આવી છે. આ કેસમાં સાયબર ટીમ પણ કામ કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંટવાના બોગસ લૂંટ મામલે 1.92 કરોડનો મુદ્દામાલ સોની વેપારીને સુપરત
September 20, 2024 12:25 PMદ્વારકા નજીક પૂરઝડપે જતી કારની હડફેટે ભેંસનું મૃત્યુ
September 20, 2024 12:24 PMમૂર્તિઓની ફેંકાફેંકી કરી વિસર્જન આ કેટલા અંશે વ્યાજબી?
September 20, 2024 12:23 PMજૈન મહિલાઓ સંચાલિત ગૃહઉદ્યોગ-વ્યવસાય-વેપારનું ભવ્ય પ્રદર્શન અને વેચાણ
September 20, 2024 12:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech