રાણાવાવના રાણાવડાળા ગામે રહેતા પ્રૌઢે અગમ્ય કારણોસર પોતાના ઘરે દોરી વડે ગળાફાંસો ખાઈ લેતા તેમને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર કારગત નિવડે તે પૂર્વે પ્રૌઢનું મોત થયું હતું.પ્રૌઢએ ક્યાં કારણોસર આ પગલું ભરી લીધું તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાણાવાવ તાલુકાના રાણાવડાળા ગામે રહેતા ગોવિંદભાઈ મુંજાભાઈ ચાંડપા(ઉ.વ ૫૨) નામના પ્રૌઢએ રાત્રિના પોતાના ઘરે દોરી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ પરિવારને થતા પ્રૌઢને બેભાન હાલતમાં સારવાર માટે પ્રથમ પોરબંદર બાદમાં રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર કારગત નિવડે તે પૂર્વે પ્રૌઢનું મોત થયું હતું.પ્રૌઢે ક્યાં કારણસર પગલું ભરી લીધું તેનાથી પરિવારજનો અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
જ્યારે અન્ય એક બનાવમાં શાપરમાં નર્મદા ગેઇટ પાસે શનિ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં રહેતા અને મજૂરીકામ કરનાર મૂળ યુપીના કાનપુરનો વતની પ્રદીપ સુંદરલાલ વિશ્વકર્મા(ઉ.વ ૨૪) નામનો યુવાન મોડીરાત્રીના અર્ધ નિંદ્રામાં ભૂલથી પાણીના બદલે એસિડ પી જતા તેને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવાન ચાર ભાઈ ચાર બહેનના પરિવારમાં વચેટ હોવાનું અને છેલ્લા સાત વર્ષથી શાપરમાં રહી મજૂરી કામ કરતો હોવાનું માલુમ પડ્યું છે. જ્યારે મોટી મેંગણી ગામે ધીરુભાઈ સિદપરાની વાડીમાં ખેત મજૂરીનું કામ કરનાર રાકેશ સીતારામ વર્મા(ઉ.વ ૪૦) નામના યુવાને ગઈકાલ સાંજે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીજીપી વિકાસ સહાય દ્વારા ત્રણ PIને ફરજિયાત નિવૃત્તિનો આદેશ...જાણી લો કારણ
July 04, 2024 11:53 PMઆસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત, અરુણાચલમાં પણ 16 લાખથી વધુ અસરગ્રસ્ત
July 04, 2024 11:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech